rashifal-2026

કોંગ્રેસ ચૂંટણીનું દેવું ઉતારવા હવે ઉઘરાણુ કરશે, પ્રદેશ પ્રમુખે અંગત લોકોને જવાબદારી સોંપી?

Webdunia
ગુરુવાર, 28 જૂન 2018 (12:39 IST)
ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણીમાં થયેલા દેવાની રકમ ચૂકવવા માટે ઉઘરાણું કરવા માટે પોતાના વિશ્વાસુ ગણાતા લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ ઉપર રૂ.7 કરોડનું દેવું થયું હતું. જેની ભરપાઈ માટે પ્રદેશ પ્રમુખ ચાવડાએ ઉઘરણાનો કાર્યક્રમ ઘડ્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે કોંગ્રેસ હજુ વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ખર્ચનું કરજ પણ ઉતારી ચુકી નથી. રૂ. 7 કરોડનું દેવું ઉતારવા પ્રદેશ પ્રમુખ ચાવડાએ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પાસે રૂપિયા 1-1 લાખની મદદ માગી હતી.તમામ ધારાસભ્યોએ આ મદદ કરી નથી. પરિણામે ચાવડાએ ઉઘરાણું કરવાનો કાર્યક્રમ ઘડ્યો હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ચાવડાના અંગત માણસોના જણાવ્યા પ્રમાણે વિસ્તાર અને જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ વ્યક્તિને દાન ઉઘરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત મોટી રકમનું દાન સ્વીકારવા પ્રમુખ ચાવડા જાતે જેતે વ્યક્તિ સમક્ષ રૂબરૂ જશે. છેલ્લા એક અઠવાડિયાથી ચાવડા દ્વારા વિવિધ સમાજ અને વિસ્તારના પોતાના વિશ્વાસુ વ્યક્તિને બોલાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો સંપર્ક કરવા કહેવામાં આવી રહ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના પ્રવાસમાં તામજામ કરવામાં આવ્યો હતો તે પૈકીની કેટલીય સભાઓના બીલ ચુકવણી કરવાના હજુ બાકી છે.ચૂંટણી પ્રચાર માટે લગાવાયેલા બેનર, પડદા, પોસ્ટર્સ અને હોડીંગ્સના પૈસા આપવાના પણ બાકી હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારના ચૂંટણીફંડમાં પણ કટકી કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. ચૂંટણીમાં થયેલું દેવું ચૂકવવા અમિત ચાવડા હાલ મથામણ કરી રહ્યાં છે. તો બીજી તરફ 300 દિવસ બાદ લોકસભાની ચૂંટણી યોજશે તેના માટે પણ ચૂંટણીફંડની જરૂર તો પડશે જ. કોંગ્રેસના કેટલાક પૈસાદાર લોકો પ્રમુખથી નારાજ થઈ કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે. ત્યારે પ્રમુખ ચાવડા પોતાના દાનના ઉઘરાણાંના કાર્યક્રમમાં કેટલી રકમ એકઠી કરી શકે છે તે તો સમય જ બતાવશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

આગળનો લેખ
Show comments