rashifal-2026

જળસંચય અભિયાનનાં બાકી રહેલા કામો ૮મી જુન સુધીમાં પૂર્ણ કરાશે

Webdunia
શુક્રવાર, 1 જૂન 2018 (12:08 IST)
વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સરકારે ૧લી મેથી જળસંચય અભિયાન ચાલુ કર્યું હતું. જે ૩૧મીનાં રોજ પૂર્ણ થયું હતું. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જળસંચય અભિયાનના બાકી રહેલા કામો ૮મી જુન સુધીમાં પૂર્ણ કરાશે. રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જન ભાગીદારી સ્વરૃપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે. લાખો ઘનફૂટ માટી ખોદીને ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઊભી થશે. ખોદાયેલી માટી ખેતરોમાં ખાળાઓ ઉપર નાખી છે તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ૫૫૦૦ કી.મી. કેનાલોની સફાઇ કરાઇ છે. આમછતાં કેટલાક લોકો વિરોધ કરવાની માનસિકતાથી પીડાઇને ધડમાથા વગરના આક્ષેપો કરી રહ્યા છે. જળસંચયના રૃા. ૨૦૦ કરોડના કામો સામે રૃા. ૨૪૦૦ કરોડના ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરે છે. જેમાં કોઇ જ તથ્ય નથી. કોંગ્રેસને સપનામાં પણ કૌભાંડો જ આવે છે. ભવિષ્યની આપણી પેઢીને દુષ્કાળનો સામનો ન કરવો પડે તેવા હેતુથી જળસંચયનું અભિયાન હાથ ધરાયું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે સમાપન પ્રસંગે જણાવ્યું હતું કે, આગોતરા આયોજનને પરિણામે રાજ્યમાં કોઇપણ જગ્યાએ પીવાના પાણીની તંગી ઊભી થઇ નથી. રાજ્યમાં ૯૦ ટકા ઉનાળો પૂરો થવા આવ્યો છતાં આજે પણ સરકાર ઘરે ઘરે અને ખેતરો સુધી પાણી પહોંચાડી રહી છે. મહેસાણા જિલ્લો, ધરોઇ, નર્મદા, સુજલામ સુફલામ, ચેકડેમો બનાવવા સહિતના જળસંચયમાં અગ્રેસર રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

આગળનો લેખ
Show comments