Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રવીણ તોગડિયાએ ક્રાઇમ બ્રાન્ચને નોટિસ ફટકારી

પ્રવીણ તોગડિયાએ ક્રાઇમ બ્રાન્ચને નોટિસ ફટકારી
Webdunia
શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (11:55 IST)
વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર જે.કે. ભટ્ટ સામે ફરી એકવાર બાંયો ચઢાવી છે. હવે પ્રવીણ તોગડીયાએ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર અને સરદાર નગર પોલીસસ્ટેશનને નોટિસ આપી છે અને તેમાં એવો આક્ષેપ કર્યો છે કે ૧૫ પોલીસ ઓફિસરો દ્વારા કોઇપણ કારણ વિના ઘનશ્યામ પટેલની મધ્યરાત્રિએ પૂછપર કરવામાં આવી હતી અને હથિયાર બતાવીને બળજબરીથી તેમની પાસેથી નિવેદન લઇ લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પ્રવીણ તોગડીયાના એન્કાઉન્ટર થવાના ભયથી બિમારીનું તરકટ રચીવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ્સને આધારે સમગ્ર નાટકનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે તોગડીયાને પોતાના ઘરે રાખનાનાર ઘનશ્યામ પટેલની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં પ્રવીણ તોગડીયા દ્વારા હવે એવી નોટિસ પાઠવવામાં આવી છે કે, '૧૬ જાન્યુઆરીના સવારે ૪:૩૦ સુધી ઘનશ્યામ પટેલની જબરદસ્તીથી પૂછપરછ કરવામાં આવી હતી અને ઇચ્છા વિરુદ્ધનું નિવેદન લેવામાં આવ્યું હતું. ષડયંત્રના ભાગરૃપે પોલીસ કર્મીઓ ઘનશ્યામ પટેલના પાડોશીઓના નિવેદન લઇને તેમને પણ પરેશાન કરી રહ્યા છે. આ બાબત દર્શાવે છે કે ગુજરાત પોલીસના વિવિધ અધિકારીઓ કોઇના ઇશારે કાર્યવાહી કરી રહ્યા છે. ૧પ જાન્યુઆરી મધ્ય રાત્રિથી ૧૬ જાન્યુઆરી સવારે ૪:૩૦ સુધી ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલીમાં કયા ઓફિસરની ડયુટી હતી અને ઘનશ્યામ પટેલની કયા પોલીસ અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી તેની વિગતો જારી કરવામાં આવે. આ ઉપરાંત ઘનશ્યામભાઇ સીસીટીવીમાં દેખાતા હોય તેવા આપની કચેરીના ફૂટેજની સીડી પણ અમને આપવામાં આવે તેવી માગ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments