Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચારી તો ભગવાનને પણ નથી છોડતા, પાવાગઢમાં ચઢતી ચાંદીની ઘટ 10 ટકાથી વધીને 40 ટકા પહોંચતા કૌભાંડની આશંકા

Webdunia
શનિવાર, 13 જુલાઈ 2019 (13:06 IST)
ગુજરાતની શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચઢતી ચાંદીની ઘટ 10 ટકાથી વધીને 40 ટકા સુધી પહોંચી છે. મંદિરના જ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીએ સમગ્ર કેસની તપાસ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. આ અંગે 2 સપ્તાહમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

પાવાગઢના મહાકાળી મંદિરના ટ્રસ્ટીઓ સામે મંદિરના અન્ય ટ્રસ્ટી કૈલાસ ઠાકોર તરફથી એડવોકેટ કૃનાલ શાહે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી છે કે મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવાતી ચાંદીને ઓગાળવા માટે લઇ જવાય ત્યારે અને ઓગાળીને પાછી આવે ત્યારે તેમાં 40 ટકા ઘટ પડી રહી છે. પાંચ વર્ષ અગાઉ આ ઘટ 10 ટકા આવતી હતી તે વધી ગઇ છે. વચ્ચેની ઘટ અંગે ટ્રસ્ટીઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. 580 કિગ્રા ચાંદી ગાળવા માટે મોકલી હતી, તે ગાળીને પાછી આવી ત્યારે માત્ર 170 કિગ્રા પાછી આવી હતી. દર વર્ષે આશરે 3થી 4 કરોડ રૂપિયાની ચાંદીની ઘટ કોણ લઇ જાય છે-તે અંગે તપાસ કરવા દાદ માગવામાં આવી છે. આ અંગે જસ્ટિસ એ.વાય કોગ્જેએ જોઇન્ટ ચેરિટી કમિશનરએ આપેલા તપાસ અહેવાલને ચેરિટી કમિશનરે 2 સપ્તાહમાં ચકાસીને યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments