Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની મ્યુનિ. સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ફ્રી હેર કટિંગ કરી અપાશે, પહેલા દિવસે 122 વિદ્યાર્થીનું હેર કટિંગ થયું

Webdunia
સોમવાર, 27 ડિસેમ્બર 2021 (17:55 IST)
-સરસપુર ગુજરાતી શાળા નંબર 7માં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વચ્છતાની થીમ પર ફ્રી હેર કટિંગ
 
AMC સ્કૂલ બોર્ડ દ્વારા આજથી નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં AMCની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા થીમ હેઠળ ફ્રીમાં હેર કટિંગ કરી આપવામાં આવશે. આજે પ્રથમ દિવસે 122 વિદ્યાર્થીઓને ફ્રીમાં હેર કટિંગ કરી આપવામાં આવ્યા હતા. અપ ટુ ડેટ હેરકટ નામની સંસ્થાને સાથે રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
 
અમદાવાદની સરસપુરની મ્યુનિસિપલ સરસપુર ગુજરાતી શાળા નંબર 7માં આજે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વચ્છતાની થીમને ધ્યાનમાં લઈને બાળકોના ફ્રીમાં હેર કટિંગ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આજથી શરૂ કરેલ અભિયાનમાં મેયર કિરીટ પરમાર, સ્કૂલ બોર્ડના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટર અને સ્કૂલ બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા.
 
AMC સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે, અપ ટુ ડેટ હેરકેટ નામની સંસ્થાએ અમારો સંપર્ક કર્યો હતો અને આ અંગે ચર્ચા કરી હતી. જેથી અમે સ્કૂલોને પરિપત્ર કરીને હેર કટિંગ અંગે જાણ કરી, ત્યારે સરસપુરની સ્કૂલ દ્વારા અમને રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને અમે આજે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે 122 વિદ્યાર્થીઓના હેર કટિંગ કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓના વાલીની સંમિત મેળવીને જ હેર કટીંગ કરવામાં આવ્યા છે. જે સ્કૂલમાંથી રજુઆત આવશે તે સ્કૂલોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેર કટિંગ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments