rashifal-2026

ગુજરાતની છ બેઠકોમાંથી ખેરાલુ બેઠક ભાજપને ફાળે, અલ્પેશ અને ધવલસિંહનું પિલ્લુ વળી ગયું

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (12:04 IST)
રાજ્યની 6 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક રૂઝાનમાં 6 બેઠકોમાંથી કોંગ્રેસ 3 બેઠકો પર અને ભાજપ 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે એક બેઠક પર ભાજપની જીત થઇ છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમદેવાર અજમલજી ઠાકોરની જીત થઇ છે. તેઓ 25414 મતથી જીત્યા છે. કોંગ્રેસ રાધનપુર, બાયડ અને અમરાઈવાડી બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ લુણાવાડા અને થરાદ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. બાયડમાં 19મા રાઉન્ડમાં પણ ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યાં છે. આ બેઠક પર કોંગ્રેસના જશુભાઈ પટેલ 2 હજારથી વધુ મત આગળ ચાલી રહ્યાં છે. સાતમાં રાઉન્ડમાં રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર 7 હજારથી વધુ મતે પાછળ ચાલી રહ્યાં છે. આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિત 42 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. 6 બેઠક ઉપર સરેરાશ 53.67 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર 34.69 ટકા જ્યારે ખેરાલુમાં 46.19 ટકા મતદાન થયું હતું. થરાદમાં 68.93 ટકા, રાધનપુરમાં 62.91 ટકા, બાયડમાં 61.05 ટકા અને લુણાવાડામાં 51.24 ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં સરેરાશ 56.76 ટકા પુરુષ તેમજ 50.03 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખેરાલુમાં ચાર ઉમેદવારો પૈકી ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે રસાકસી છે. જોકે, ઓછું મતદાન બંને પક્ષને અકળાવી રહ્યું છે. બાસણા મરચન્ટ કોલેજમાં સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરાશે. સૌપ્રથમ ઇલેકટ્રોનીક ટ્રાન્સફર બેલેટપત્રો, ટપાલ મતોની ટેબલ પર ગણતરી શરૂ થશે અને 8.30 વાગ્યાથી ઇવીએમના મતોની ગણતરી હાથ ધરાશે. 14 ટેબલ ઉપર 19 રાઉન્ડના અંતે મત ગણતરી પૂરી થશે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિકમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

આગળનો લેખ
Show comments