Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓની નારાજગીથી મચી હલચલ, અર્જુન મોઢવાડિયાના થઈ બેઠક

ગુજરાત કોંગ્રેસ
Webdunia
ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:24 IST)
ગુજરાત કૉંગ્રેસમાં સુનામી આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં નારાજગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસના નારાજ નેતા અર્જુન મોઢવાડિયાના ઘરે એક બેઠક મળી છે. આ બેઠકમાં ગુજરાત કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા.
 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અર્જુન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના નારાજ નેતાઓ ભેગા થયા હતા. આ બેઠકમાં દિનશા પટેલ, અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ , હિંમતસિંહ, સોમાભાઈ પટેલ, ઇન્દ્રવિજય સિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બધા નેતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગશે.
 
અચાનક જ કોંગ્રેસના નેતાની બેઠક મળતા ગુજરાત કૉંગ્રેસમાં ભૂકંપના એંધાણની ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગી હોવાની વાત બહાર આવી છે. જોકે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં જૂથવાદ હોવાની વાત નકારી કાઢી હતી. તેમના મતે આ તો સામાન્ય બેઠક હતી. આવી બેઠકો થતી રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

આગળનો લેખ
Show comments