Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાળાની ફી નો નવો કાયદો આવતા મહિનાથી અમલી બનશે - શિક્ષણમંત્રી ચુડાસમા

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (15:59 IST)
ગુજરાતમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી મનસ્વીપણે ફી અને બેફામ બનેલા ખાનગી શાળા સંચાલકોને સરકારે સીધી જ ચીમકી આપી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અત્યંત સ્પષ્ટપણે અને મક્કમ શબ્દોમાં કહી દીધું છે કે, સ્વનિર્ભર શાળાઓમાં ફી નિયમન માટેનો જે નવો કાયદો બન્યો છે તેનો અમલ કોઈપણ સંજોગોમાં આ શૈક્ષણિક સત્રથી જ થશે અને આવતા મહિનાથી જ તેના નિયમો અમલી બની જશે.

આ ઉ૫રાંત કેટલીક શાળાઓએ ઊંચી ફી નહીં ભરનારા વાલીઓના સંતાનોના ગત વર્ષના પરિણામો અટકાવી રાખ્યા હોવાની પણ તેમણે ગંભીર નોંધ લીધી હતી. આ પ્રવૃત્તિ કોઈપણ ભોગે ચલાવી ન લેવાની ખાતરી આપી હતી. શિક્ષણ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ હાલ ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) વિધેયક, 2017 રાજ્યપાલ ઓ પી કોહલીની મંજુરી માટે મોકલી દેવાયું છે. તેમની મંજૂરીની અપેક્ષાએ કાયદાના અમલીકરણ માટેના નિયમો પણ ઘડવાની કામગીરી શરૃ થઈ ગઈ છે. આ પ્રક્રિયા સમય મામગી લેતી હોવાથી આગોતરી શરૃ કરી દેવાઈ છે અને ૫૦ ટકા નિયમો તો તૈયાર થઈ ગયા છે. વાલીઓના એક સંગઠને ઉદ્ગમ સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું. પણ કેટલાક વાલીના જણાવ્યા મુજબ, ઉદ્ગમ સ્કૂલના સંચાલકોએ તેમને એવી ર્ગિભત ધમકી આપેલી કે જો તેઓ આ પ્રદર્શન કરશે તો તેમના જ સંતાનોનું ભાવિ જોખમાશે. આથી, આ કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments