Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના નિયંત્રણમાં આવતાં જ અમદાવાદ એરપોર્ટ ધમધમ્યું, એક મહિનામાં 70 ટકા મુસાફરો વધ્યાં

Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (15:11 IST)
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતાં હવે લોકો વ્યસ્ત થવા માંડ્યાં છે. લોકોના ધંધા રોજગાર ફરી શરૂ થતાં ટ્રાફિકમાં પણ વધારો થયો છે. તેવી જ રીતે એર ટ્રાફિક પણ ફરી વાર ધમધમવા માંડ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાની પહેલી લહેર બાદ એરપોર્ટ પર મુસાફરો પરત ફર્યા હતાં પરંતુ બીજી લહેર ખતરનાક સાબિત થતાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર મે મહિનામાં 1 લાખ 32 હજાર મુસાફરો જ્યારે જૂન મહિનામાં 2 લાખ 23 હજાર 400 મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. જૂન મહિનામાં કુલ 2 હજાર જેટલી ફ્લાઈટોની અવરજવર હતી. અમદાવાદ એરપોર્ટ પર જૂનમાં પ્રત્યેક ફ્લાઈટમાં સરેરાશ 103થી વધારે મુસાફરો હતાં. બીજી બાજુ મે મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી માત્ર 75 લોકોની જ અવરજવર નોંધાઈ હતી.અમદાવાદ એરપોર્ટ પરથી મે મહિનામાં 215 ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 7442 મુસાફરો જ્યારે જૂનમાં 212 ઈન્ટનેશનલ ફલાઈટમાં 9 હજાર 288 મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. આ સ્થિતિએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સરેરાશ 35 જ્યારે જૂનમાં 43 મુસાફરો હતા. આમ, મે કરતાં જૂનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સાધારણ વધારો નોંધાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments