Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાંચો એક વૃક્ષ પ્રેમીની કહાની, એકલા હાથે બે લાખ વૃક્ષ વાવીને ઉછેર્યાં

પર્યાવરણ
Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (15:23 IST)
આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણના ઉછેરની વાતો કરનારા અનેક લોકો મળી જશે પણ પર્યાવરણનો ઉછેર કરનારા આંગળીના વેઢે ગણાય એટલા જ મળશે. ત્યારે એક એવા વ્યક્તિની વાત કરવી છે જણે એકલા હાથે બે લાખથી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની સુરક્ષાનો યજ્ઞ કર્યો છે.  રાજકોટના વિજય ડોબરિયાએ સૂક્કાંભઠ્ઠ પડધરી પંથકને હરિયાળું બનાવવાનું. ગાંઠના એક કરોડ, ચૌદ લાખ રૃપિયા ખર્ચી તેમણે પડધરી તાલુકામાં ચિક્કાર વૃક્ષારોપણ કર્યું. અગાઉ તો ધ્યેય એક લાખ વૃક્ષનું જ હતું. પણ આજે ત્રણેય વર્ષની મહેનત પછી તેમણ રોપેલાં – ઉછેરોલાં લગભગ પોણા બે લાખ  વૃક્ષો આ પંથકમાં લહેરાઈ રહ્યા છે. અને આ બધાં જ વૃક્ષો વિકસીત છે. તેમાંના એંશી ટકા વૃક્ષોની ઊંચાઈ આજે દસ-બાર ફૂટ કે તેથી વધુ છે. વિજય ડોબરિયાની મહેનત રંગ લાવી છે. આજે એમનું સદ્દભાવના ચેરિટેબલ ટ્ર્સ્ટ આ વિસ્તારમાં ઘેર-ઘેર જાણીતુ બન્યુ છે. ગામ-ગામે તેમનો વૃક્ષયજ્ઞા ચાલી રહ્યો છે. પણ હજુ તેઓ અહીં અટકવાના નથી. તેમનો ટાર્ગેટ છે, દસ લાખ વૃક્ષો વાવી ને ઉછેરવાનો. તેમનું માનવું છે કે, પડધરી તાલુકામાં લગભગ દસેક લાખ વૃક્ષો આસાનીથી સમાઈ શકે તેમ છે. તેમનો ટ્રેક રેકોર્ડ જોતા પણ ધ્યેય પણ તેઓ હાંસલ કરીને જ જંપશે. તાલુકાના દસ ગામામાં તેમના ટ્રસ્ટે એક – એક હજાર આંબા વાવીને ઉછેર્યા છે અને છ ગામોમાં એક – એક હજાર બોરસલ્લીના વૃક્ષો ઉછેર્યા છે. આ ગામોમાંથી કોઈ રોડ કે કોઈ આંગણું એવું નથી. જ્યાં વૃક્ષ ન હોય. સામાન્ય રીતે તેઓ વડ, પીપર, પિપળોલ ખાટી આમલી, કરંજ અને બોરસલ્લી એમ છ જ વૃક્ષો વાવે છે. આજથી પાંચકે વર્ષ પછી- જ્યારે વૃક્ષો ઘેઘૂર બનશે ત્યારે તેમના કાર્યનું મહત્ત્વ સમજાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments