rashifal-2026

દુર્ગા માતાનો 4 ફૂટની પ્રતિમા સ્થાપિત કરી શકાશે, પૂજા, આરતી અને પ્રસાદ વહેંચવાની છૂટ

નવરાત્રિમાં દુર્ગા માતાની પ્રતિમા સ્થાપિત કરવા ગાઇડલાઇન જાહેર

Webdunia
મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (10:40 IST)
ગુજરાતમાં નવરાત્રિમાં દુર્ગા માતાની પ્રતિમા સ્થાપિત કરવાના સંદર્ભે પોલીસે ગાઇડલાઇન જાહેર કરી છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો શુભારંભ થશે. આ દિવસે પંડાલોમાં દુર્ગા માતાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે અને 15 ઓક્ટોબરના રોજ વિસર્જ થશે. પહેલાં પ્રતિમાઓનું વિસર્જન તાપીના અલગ-અલગ ઘાટ પર થાય છે. તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. 
 
હાઇકોર્ટ અને કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આદેશ બાદ તાપીમાં વિસર્જન પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિસર્જનની વ્યવસ્થા મહાનગર પાલિકા તરફથી કરવામાં આવશે. કોરોનાના કેસ ઘટ્યા બાદ પ્રતિબંધોમાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. પ્રદેશમાં ગણેશોત્સવ બાદ નવરાત્રિમાં ગરબા રમવાની અને દુર્ગા પૂજા મનાવવાની છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન આયોજકોને કોવિડ ગાઇડલાઇનનું સખત પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં 400 લોકોના સામેલ થવાની છૂટ છે. 
 
આ રહેશે છૂટછાટ
- આયોજકો મા દુર્ગાની માટીની 4 ફૂટની બેઠેલી મૂર્તિ ઘર અથવા પંડાલમાં સ્થાપિત કરી શકશે. 
- મનપા દ્વારા બનાવવામાં આવેલા સ્વિકાર કેન્દ્ર પર સરળતાથી વિસર્જન કરી શકશો, નદી-તળાવ પર પ્રતિબંધ રહેશે. 
- આયોજન દરમિયાન પૂજા, આરતી, પ્રસાદ વહેંચવાની છૂટ
- 400 લોકો કાર્યક્રમમાં સામેલ થઇ શકે છે. 
- આયોજક પંડાલ લગાવી દૂર્ગાપૂજા આયોજિત કરી શકશે. 
- દુર્ગાપૂજા દરમિયાન શેર ગરબા રમી શકાશે. 
- - પીઓપી મૂર્તિ પર પ્રતિબંધ રહેશે., પીઓપીની મૂતિ વેચી શકાશે નહી. 
- દૂર્ગાપૂજામાં 400 લોકો સામેલ થઇ શકશે, નદી અથવા તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ, તૂટેલી મૂર્તિઓ રસ્તા પર ફેંકનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે. 
- આદેશનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ સખત કાર્યવાહી થશે. 
- આ આદેશ 1 થી 15 ઓક્ટોબર સુધી લાગૂ રહેશે. ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ આઇપીસી કલમ 188 હેઠળ કાર્યવાહી થશે. સબ ઇન્સપેક્ટર અથવા તેનાથી ઉપરના અધિકારી જ કાર્યવાહી કરી શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments