Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટના વિંછિયામાં સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી, વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફમાં ગમગીની છવાઇ

Webdunia
મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (18:49 IST)
ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાંની ઘટના સામે આવી છે. રાજકોટના વિંછીયાની આદર્શ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિંછીયા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના વિંછીયામાં સ્થિત આદર્શ સ્કૂલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની છે. આ સ્કૂલ કેમ્પસમાં 10મા ધોરણની વિદ્યાર્થીની ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. સ્કૂલના સત્તાધિશોને જાણ થતાં વિદ્યાર્થીનીને નીચે ઉતારવામાં આવી હતી પણ ત્યાં સુધીમાં તેનું મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થીની વિંછીયા તાલુકાના છાસીયા ગામની રહેવાસી હતી. તે આશ્રમ હોસ્ટેલમાં રહીને ધોરણ 10માં ભણતી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ સ્કુલનું સંચાલન કેબીનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા કરી રહ્યા છે. બનાવના પગલે વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments