Webdunia - Bharat's app for daily news and videos

Install App

હજીરા- ઘોઘા ફેરી સર્વિસનું પીલ્લુ વળી જાય તેવી શક્યતાઓ

Webdunia
બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (12:12 IST)
દક્ષિણ ગુજરાતમાં સુરતના હજીરાથી ઘોઘા સુધી પેસેન્જર ફેરીનું પીલ્લુ વળી જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડે થોડા સમય પહેલા આ ફેરીના બીડ જાહેર કર્યા હતા. પરંતુ પેસેન્જર નહીં મળવાના ડરથી કોઈ શીપ કંપનીએ બીડ ભર્યા ન હોવાનું અધિકારી સૂત્રોથી જાણવા મળી છે.વધુમાં કહ્યું કે, શીપ કંપની બીડ ભરવા માટે રસ લે તે માટે સરકાર સાથે બેઠક કરીને બીડની કેટલીક શરતોમાં ફેરફાર કરાશે. શીપ કંપનીને ખોટ નહીં ભોગવવી પડે, તેવી શરતો અને વ્યવસ્થા ઊભી કરાશે. અહીં એવી વાત છે કે, ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે શીપ કંપનીને બેંક ગેરન્ટી પણ આપે. બેંક ગેરન્ટી એટલે કે, પેસેન્જર ફેરીની જે પણ સીટ નહીં ભરાશે, તે સીટને સરકાર ખરીદી લેશે. આમ બેંક ગેરેન્ટીને કારણે શીપ કંપનીને ખોટ નહીં પડે. અગાઉ કેન્દ્રિય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ હજીરાથી ઘોઘા અને પીપાવાવથી દીવ જવા માટે રો-રો ફેરી સર્વિસની શરુઆત થઈ જશે તેમ કહ્યું હતું.
 
 
 
 

સંબંધિત સમાચાર

વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.

World earth Day વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીના સંરક્ષણની પ્રતિજ્ઞા લો

Cold Facial- ઉનાળામાં ઘરે જ કરો ફેશિયલ ચેહરા પર આવશે ચમક

Quick Recipe: ડુંગળી અને કાકડી સાથે ઝડપથી સ્વાદિષ્ટ સેન્ડવીચ તૈયાર કરો

પેટ ઓછું કરવા માટે આ યોગ આસન દરરોજ 10 મિનિટ કરો.

જોક્સ- બીજી પણ એક બેસી શકે

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત, લાઈવ સેશન રદ્દ કરી હોસ્પિટલ પહોચ્યા વિવેક દહિયા

Teacher students jokes- સૌથી વધુ નશો

આગળનો લેખ
Show comments