Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામાન્ય વહીવટ વિભાગનો અધિકારીઓને પત્ર:પેન ડાઉન કરનાર સરકારી કર્મચારીઓ ચેતી જજો

Webdunia
બુધવાર, 6 માર્ચ 2024 (11:59 IST)
- પેન ડાઉન, શટ ડાઉન, ચોક ડાઉન કરનાર સરકારી કર્મચારીઓને સરકારની ચેતાવણી 
-  સરકારના સમાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઇ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો
-  8.50 લાખ શિક્ષકો અને કર્મચારીઓના હિતમાં ચોક ડાઉન અને પેન ડાઉન કરવાની જાહેરાત  

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ અન્ય કર્મચારી મંડળો દ્વારા 6 માર્ચના વિવિધ પડતર માંગણીઓને લઇને પેન ડાઉન, શટ ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તેને લઇને ગુજરાત સરકારના સમાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઇ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

તમામ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ તથા સચિવને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તમારા વિભાગ હસ્તકના જે કર્મચારીઓ કે અધિકારીઓ 6 માર્ચના પેન ડાઉન, શટ ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હેઠળ સરકારી કામગીરીથી અળગા રહે અને તેમની નિયમિત કામગીરી ન કરે તો તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગીની સંસ્થા શૈક્ષિક સંઘ દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લોકસભાની ચૂંટણી અગાઉ ફરી એકવાર સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જૂની પેન્શન યોજના સહિતના શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે સંઘ સાથે જોડાયેલી સંસ્થા પેન ડાઉન અને ચોક ડાઉન કરી આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જોકે, અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી સમયે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે આંદોલન ઝડપથી પૂર્ણ થઇ ગયું હતું.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સાથે જોડાયેલી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના સહિત સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો મામલે ગાંધીનગરમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતભરના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. 4 માર્ચ સુધીમાં સરકાર માગ સ્વીકારી ઠરાવ બહાર નહિ પડે તો 6 માર્ચના રોજ સંયુક્ત મોરચા સાથે જોડાયેલા ગુજરાતના 8.50 લાખ શિક્ષકો અને કર્મચારીઓના હિતમાં મહામતદાન, ઓનલાઇન કામગીરીથી અડગા રહી ચોક ડાઉન અને પેન ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પણ પડતર પ્રશ્નો ના ઉકેલાય તો 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે. જેમાં મેસેજ ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના 1 લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments