Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં અત્યાધુનિક ગૌધામ માટે 3 કલાકમાં 21 કરોડનું દાન મળ્યું

Webdunia
સોમવાર, 19 જૂન 2017 (16:03 IST)
સૌરાષ્ટ્રના ગારીયાધાર પાસે આવેલા પરવડી ગામમાં બનનારા ગૌધામ માટે સુરતમાંથી દાનનો અવિરત ધોધ વહ્યો હતો.  કથાકાર રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતીમાં અને અનુભાઈ તેજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા નામકરણના કાર્યક્રમમાં ઉદાર હાથે સુરત-મુંબઈના ઉદ્યોગપતિઓએ  અંદાજે 21 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.  ગારીયાધાર-પરવડી રોડ ખાતે વર્ષોથી અશક્ત, બીમાર અને ત્યજાયેલી ગાયોની સેવા કરતી ગૌ શાળા હતી. આ ગૌશાળાનું નવીનીકરણ કરવા માટે પ્રવિણભાઈ ખૈનીના અધ્યક્ષસ્થાને બનેલા ટ્રસ્ટ દ્વારા ગોધામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.  સુરત- મુંબઈમાં સહિત પરદેશમાં વસતા ઉદ્યોગપતિઓની સાથે નાના મોટા સૌ કોઈએ ઉદાર હાથે દાન કર્યું હતું. જેમાં 6 કરોડ 11 લાખનું દાન માધવજીભાઈ પટેલ લેન્ડમાર્ક દ્વારા નામકરણ માટે આપવામાં આવ્યું હતું. કથાકાર રમેશભાઈ ઓઝાએ 11 લાખનું દાન કર્યું હતું.  

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments