Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ઉત્સવ: બજારોમાં ગ્રાહકોની ભીડ ઘટી, મૂર્તિના ભાવમાં વધારો

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (12:24 IST)
ગણેશ ઉત્સવ ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદનું મૂર્તિ બજાર ખાલી જોવા મળી રહ્યું છે. અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલું મૂર્તિ બજારમાં છૂટી છવાઇ ભીડ જોવા મળી રહી છે.  વેપારીઓનું કહેવું છે કે આ વખતે મૂર્તિમાં વેરાયટી ઘણી છે ચાર ફૂટની ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવી છે. પરંતુ ખરીદી કરવા માટે ગ્રાહકો આવી રહ્યા નથી. સરકારની ગાઇડ લાઇન આ કારણે માલ ખૂબ ઓછો બન્યો છે પરંતુ વેચાઈ રહ્યો નથી. 
 
કોરોનાના કારણે આ વખતે શ્રમિકોને બમણું વેતન ચૂકવવું પડી રહ્યું છે. કારણ કે મૂર્તિ બનાવનાર મોટાભાગના પશ્વિમ બંગાળના છે, જેમને સ્પેશિયલ ટિકીટ આપીને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મૂર્તિ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ મોંઘી થઇ ગઇ છે. 
કોરોનાના લીધે શ્રમિકો આવવાનું ટાળી રહ્યા છે. જે શ્રમિકોને દર મહિને 10 હજાર રૂપિયા આપતા હતા, તેમને 20 હજાર સુધી ચૂકવવા પડે છે. સુકા ઘાસ માટે 700 ના બદલે 1300, 10 કિલોની માટી માટે 140 ના બદલે 170 રૂપિયા ચૂકવવા પડે છે. ગોડાઉનનું ભાડુંન પણ દોઢ ગણું વધી ગયું છે. વાંસની કિંમત પણ 10 ટકા વધી ગઇ છે. 
 
ભક્તો ઓછી કિંમત પર મૂર્તિઓ ઇચ્છે છે. પરંતુ અમારી મજબૂરી છે કે ઓછી કિંમત પર આપી શકતા નથી. માટી, વાંસ, કલર, કેમિકલ, મજૂરી ખર્ચ વધી ગયો છે. આ પહેલાંની અપેક્ષાએ ગણેશ પ્રતિમાની કિંમત 25% સુધી વધુ છે.
 
જ્યારે ખરીદી કરવા ગ્રાહણ રાકેશ ઠાકુર અને પંકજ સંસારેએ જણાવ્યું હતું કે ભાવ વધારો ખૂબ જોવા મળી રહ્યો છે જે મૂર્તિ ભાવ 5000 થી 7000 ની હોવી જોઈએ તે કિંમત 12 થી 15 હજારમાં આ વખતે બજારમાં જોવા મળી રહી છે. નાનામાં નાની ફ્રેન્ડલી મૂર્તિની કિંમત પણ પાંચસોથી હજાર રૂપિયા જોવા મળી રહી છે. બમણા ભાવના કારણે ગ્રાહકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. 
 
પંકજ સંસારેએ જણાવ્યું હતું કોરોનાના કારણે ચોતરફ નેગેટિવિટી અને નિરાશાનો માહોલ છવાયેલો છે. ત્યારે તહેવારોની ઉજવણી કરવી જરૂરી છે. ભક્તિમય વાતાવરણ સર્જાશે અને તહેવારોની ઉજવણી થશે તો લોકો નિરાશામાં બહાર નિકળશે. સતત કામનું ટેન્શન હોય છે ત્યારે તહેવારોમાં લોકો એકબીજા મળે છે અને આનંદમય વાતાવરણ જુએ છે ત્યારે મનમાંથી નિરાશા દૂર થાય છે. ગણપતિ બાપ્પા કોરોનારૂપી વિઘ્નને દૂર કરી નવી આશાનું કિરણ ફેલાવશે.
=

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments