Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભુજ-ભચાઉ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે ભાઇઓ સહિત ત્રણ લોકોના મોત

panchmahal news
Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2024 (15:03 IST)
ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે આઠ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ભૂજ-ભચાઉ ધોરી માર્ગ પર આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દીવ-સોમનાથથી દર્શન કરી પરત માધાપર આવતા સોની પરિવારની તુફાન જીપકારને પધ્ધર નજીક સૂઝલોન અને બીકેટી કંપની વચ્ચે અકસ્માત નડ્યો હતો. જેમાં માર્ગ પર કૂતરું આડું ઉતરતા તેને બચાવવા જતા જીપકાર ડાબી તરફના પુલિયાની દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.તુફાન ડિવાઇડર સાથે અથડાતા કારમાં સવાર માધાપરના સોની પરિવારના ત્રણ સભ્યોના ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જ્યારે આઠ સભ્યોને હળવાથી ભારે પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને ભુજની જીકે જનરલ અને ખાનગી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાંઆવ્યા છે.

અકસ્માતની પ્રાથમિક માહિતીના આધારે પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે.અકસ્માતમાં જીવ ગુમાવનાર માધાપર ગામની બાપા દયાળુ સોસાયટીમાં રહેતા દિનેશ સુરેન્દ્ર સોની, તેમના ભાઈ મનોજ સુરેન્દ્ર સોની અને દિલીપ હિરજી સોની નું ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય આઠ લોકોને ગંભીર હળવાથી ભારે પ્રકારની ઇજા પહોંચી હતી. ઘાયલોને 108 મારફતે સરકારી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર દીવ ફરીને સોમનાથ દર્શન કરીને પરત ફરતા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments