Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારણપુરાના વરદાન ટાવરમાં આગ લાગવાનો બનાવ, એક જ પરિવારના 4 લોકોના મોત

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (11:38 IST)
નારણપુરાના વરદાન ટાવરમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરની ટીમ વરદાન ઘટના સ્થળે દોડી ગઈ હતી. મકાનની અંદર ફસાયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

આજે વહેલી સવારે લાગેલી શોર્ટ સર્કિટ કે અન્ય કારણસર પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી હતી. ધૂમાડાના કારણે પાછળના ભાગે રહેતા સુનિલ ચૌધરીને ગુંગળામણ થવાથી બહાર નીકળી શક્યા ન હતાં અને ગુંગળાઈને બેહોશ થઈ ગયા હતા. આજુબાજુના લોકોએ ધુમાડા દેખાતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યૂ કર્યું હતું. બહાર કાઢીને ચારેયને અલગઅલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ચારેયના સમયાંતરે મોત થયા હતા. પ્રોવિઝન સ્ટોરમાં લાગેલી આગે હસતા રમતા પરિવારને વિંખી નાંખ્યો હતો. 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments