Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડશે કે નહી? આઠમ પર ખોલી દીધા પત્તા

Webdunia
શનિવાર, 20 ઑગસ્ટ 2022 (16:55 IST)
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની અંજલિબેન સાથે આજે સવારે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લીધી હતી. અને તેમણે અંબાજી માતાના દર્શન કરીને આરતીનો લાહવો લીધો હતો. અને નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના પૂજારી દ્વારા વિજય રૂપાણીને કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી હતી. અંબાજી મંદિરના પૂજારીએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને માતાજીનું શ્રી યંત્રની ભેટ અર્પણ કરી હતી. મંદિરમાં દર્શન બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી જે કહેશે તેમ કરીશ, જ્યાંથી લડાવશે ત્યાંથી લડીશ નાં પાડશે તો નહીં લડું. તેમજ ભારતીય જનતા પાર્ટી પુન: સક્રિય થાય તે માટે પ્રયત્ન કરશું. વિજય રૂપાણીએ મંદિરમાં દર્શન બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત વિજય રૂપાણીએ ગતરાત્રિએ રાજસ્થાનમાં બનેલી અક્સમાતની ઘટના બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. 
 
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, રાજસ્થાનમાં અક્સમાતમાં ભોગ બનનાર દાંતાના કુકડી ગામના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments