Webdunia - Bharat's app for daily news and videos

Install App

Modasa News - મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 4 મજુરોના મોત, ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2023 (17:21 IST)
- ફેક્ટરીમાં વેલ્ડિંગ કરતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
- મેજર કોલ જાહેર કરાતાં ગાંધીનગર અને હિંમતનગરથી ફાયરવિભાગની મદદ લેવાઈ
 
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના લાલવપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના બની છે. આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ચારેબાજુ આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા છે. આ ઘટનામાં ચાર મજૂરોનું દાઝી જવાથી મોત નિપજ્યું છે. તેમજ પાંચ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ફાયર વિભાગે આ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો છે. આગને કારણે હિંમતનગર મોડાસા રોડ બંધ કરવામાં આવ્યો હતો. આગ લાગતા લલિત, અજય, રામભાઈ, સાજન નામના શ્રમિકના મોત નીપજ્યાં છે. 
 
આગની ઘટનાથી માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતાં. આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોનું ટોળુ ભેગુ થઈ ગયું હતું. પોલીસને આગની ઘટનાની માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અવ્યવસ્થા સર્જાતા લોકોના ટોળાને દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર અને હિંમતનગરથી ફાયરવિભાગની ગાડીઓ બોલાવાઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments