Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત: 24 કલાકમાં 2 આગની ઘટના, ફાયરબ્રિગેડના બે જવાનો ઘાયલ

: 24 કલાકમાં 2 આગની ઘટના
Webdunia
સોમવાર, 1 માર્ચ 2021 (16:35 IST)
છેલ્લા 24 કલાકમાં સુરતમાં બે આગ લાગવાના બનાવો બન્યા છે. જેમાં સુરતના સગરામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. તો બીજી તરફ ગઇકાલે રાત્રે પાંડેસરમાં એક કારખાનામાં આગ લાગી હતી. જ્યારે આજે સુઅરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ (Fire) ફાટી નીકળી હતી. આગના કારણે નાસભાગ મચી જવા પામી હતી. 
 
પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે લોકોએ દોડાદોડ કરી મૂકી હતી. અપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં લોકો જીવ બચાવવા માટે ચોથા માળેથી બીજા એપાર્ટમેન્ટમાં પોતાની જાતે જ રેસ્ક્યૂ કર્યું હતું. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધોછે. ઘરનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
 
તો આ તરફ સુરત શહેરના પાંડેસરમાં કાપડની એક મીલમાં આગ લાગવાની ઘટનામાં બે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘાયલ થયા છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી. ફાયરબ્રિગેડના રાજૂ ગાયકવાડે જણાવ્યું હતું કે સુરતના પંડેસરા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રેરણા મીલમાં ત્રીજા માળે આવેલા એક કારખાનામાં આગ લાગી હતી. 
 
તેમણે જણાવ્યું કે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની લગભગ 15 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારી જણાવ્યું હતું ફેક્ટરીની અંદર 12થી વધુ કર્મચારી હાજર હતા જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કારખાનામાં બ્લાસ્ટ થતાં બે કર્મચારીઓ ઘાયલ થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments