Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગતાં એક બાળકનું મોત, બે બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

Webdunia
બુધવાર, 15 માર્ચ 2023 (12:48 IST)
કાંકરેજના શિહોરીમાં સ્થિત બાળકોની હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગની ઘટના ઘટી હતી
સરકારી હોસ્પિટલના ડોક્ટરની મનમાનીને કારણે લોકોમાં રોષ ફેલાયો 
 
 
બનાસકાંઠાના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં હોસ્પિટલના ICUમાં સારવાર લઈ રહેલાં ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. બચી ગયેલા બે બાળકોને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થયાં હતાં. ICUમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાંકરેજના શિહોરીમાં સ્થિત બાળકોની હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગની ઘટના બની હતી. આ હોસ્પિટલમાં ત્રણ બાળકો ICUમાં સારવાર લઈ રહ્યાં હતાં. જેમાંથી એકનું મોત નિપજ્યું હતું અને બે બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સરકારી હોસ્પિટલના ડોક્ટરની મનમાનીને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. 
 
સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે પહેલા તો ડૉક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી હતી અને મનમાની કરી હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો. ગંભીર હાલતમાં બાળકોને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ નહીં કરતાં અને ડોક્ટર દ્વારા મનમાની કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિહોરીની રેફરલ હોસ્પિટલના ડોક્ટરને બદલવાની માંગ સાથે શિહોરીના સ્થાનિક લોકો એકઠા થયા હતા. શિહોરી શહેરની તમામ દુકાનો બંધ કરીને લોકોએ ડોક્ટરની બદલી કરવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments