Festival Posters

મોડાસાની જીઆઇડીસીની બિસ્કિટ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ, જાનહાની ટળી

Webdunia
બુધવાર, 31 જુલાઈ 2019 (11:24 IST)
અરવલ્લી: મોડાસાની જીઆઇડીસીમાં આવેલી બેકવેલ બિસ્કિટ કંપનીમાં ગત મોડી રાત્રે ભયાનક આગ લાગી હતી. જો કે, આ આગની ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહોતી. ત્યારે આ આગ લાગ્યાના સમાચાર મળતા મોડાસાની 3 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યારે આ કંપનીમાં બળીને ખાખ જઇ જતા મોટું નુકસાન થયું છે.
 
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી જીઆઇડીસીમાં એક બેકવેલ બિસ્કિટની ફેકટરીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગની જ્વાળાઓ સમગ્ર ફેક્ટરીમાં ફેલાઇ ગઇ હતી. ત્યારે આગની ઘટના મળતા મોડાસાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
 
જોકે, આગની તીવર્તા વધુ હોવાથી હિંમતનગર, બાયડ અને ઇડરથી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ પણ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. સદનસીબે આગમાં કોઇ જાનહાની થઇ નથી. હજુ સુધી આ ફેક્ટરીમાં કયા કારણો સર આગ લાગી તે જાણવા મળ્યું નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments