Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ફ્લેટમાં લાગી આગ, એકનું મોત

Webdunia
શનિવાર, 7 જાન્યુઆરી 2023 (11:32 IST)
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી. ગિરધર નગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આગ લાગવાની ઘટના જાણ થતાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ ઓલવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નિપજ્યું છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્કેટ ગ્રીન ફ્લેટમાં ગેસ ગીઝરમાં આગ લાગી હતી. જેના આગ ફ્લેટના પાંચમા માળે લાગી હતી. આગ લાગી ત્યારે 4 લોકો ઘરમાં હતા. 7.30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયરની ટીમે આસપાસના ફ્લેટના રહીશોને બહાર કાઢ્યા હતા. જોકે ધુમાડાના કારણે લોકોને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી હતી. 
 
આગની ઘટનામાં એક યુવતીનું મોત નિપજ્યું છે. પ્રાથમિક તબક્કે પ્રાપ્ત માહિતી અનુસાર ગેસ ગીઝરના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. એક મહિલાને ફાયરે બચાવી, 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Coldplay ના હવે તમે ઘરે બેઠા અમદાવાદ કોન્સર્ટના મજા માણી શકો છો, જાણો ક્યારે અને ક્યાં હશે OTT પર લાઈવ

ગુજરાતી જોક્સ - અંકલ જી

ગુજરાતી જોક્સ - પેટમાં દુખાવાની ફરિયાદ

ગુજરાતી જોક્સ -બાબાના તંબુ પર

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

વધુ જુઓ..

નવીનતમ

તિરંગા પેંડા

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

આગળનો લેખ
Show comments