Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં એક વર્ષમાં આગના ૨૧૨૩ બનાવ બન્યા

Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (15:03 IST)
ગુજરાતમાં સુરતની ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈ સરકાર સફાળી જાગી હતી ત્યારે ગુજરાતમાં ૨૦૧૭-૨૦૧૮માં આગના લગભગ ૭૩૩૦ બનાવ બન્યાં હોવાનું સામે આવ્યું હતું, જેમાં સૌથી વધુ આગના બનાવો ફાયર કોલ મુજબ ૨૧૨૩ જેટલા અમદાવાદ શહેરમાં બન્યા હતા. ૨૦૧૭-૧૮માં અમદાવાદમાં સૌથી વધારે નવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારમાં આગના બનાવ નોંધાયા હતા, જેમાં કરોડ રૂપિયાની મિલકતોનું નુકસાન થયું હતું. રાજ્યમાં દરરોજ ૨૧ જેટલા આગના બનાવોમાં ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં ૩૧ ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા હતા. ૨૦૧૭-૧૮ દરમિયાન રાજ્યમાં કુલ ૧૯૩ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે ૯૯ લોકોના મોત નીપજ્યાં હતા. અમદાવાદ શહેરમાં ૨૦૧૭-૧૮ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં રૂ. ૬૯.૨૦ કરોડનું નુકસાન થયું હતું અને ૩૫ લોકોના મોત થયા હતા. જોકે, ફાયરબ્રિગ્રેડે ૯૬ જણાને રેસ્કયુ કરીને ૮૩.૭૭ કરોડની માલ-મિલકત બચાવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments