Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિમાં ગરબા બાદ હવે દશેરામાં ફાફડા-જલેબી ચોળાફળી ખાવા પર પ્રતિબંધ

Webdunia
બુધવાર, 21 ઑક્ટોબર 2020 (12:36 IST)
નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ગુજરાત સરકારે દશેરાના તહેવા પર દુકાનોની બહાર સાર્વજનિક રૂપથી ફાફડા-જલેબી અને ચોળાફળી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાકાળમાં સરકારે એક પછી એક દિશાર્નિર્દેશ જાહેર કર્યા છે. સરકારના નિર્દેશ બાદ ખાદ્ય અને ઔષધિ વિભાગે મિથાઇ અને નમકીન એસોશિયનને આ સંબંધમાં જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરવાના નિર્દેશ આપ્યા છે.  
 
કોરોનાકાળ મહામારીથી બચવા માટે દુકાન પર થનાર ભીડ અને સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોનું પાલન ન કરવાના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે ટેક અવે સિસ્ટમ પર ભાર મુકવામાં આવ્યો છે. 
 
સરકારના નિર્ણય પર લોકોને ભ્રમિત કરી દીધા છે અને ફાફડા જલેબીના દુકાનોદારો ચિંતિત છે અને વખતે બિઝનેસ અડધો થઇ જશે. ફરસાણ એસોશિએશનના અનુસાર ખાદ્ય અને ઔષધિ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ દુકાનો પર કોરોનાને લઇને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોના બેનર લગાવવામાં આવશે. જેથી સરકારી નિયમોનું અનુપાલન સુનિશ્વિત કરવામાં આવશે. 
 
એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું હતું કે દશેરના તહેવારને લઇને ખાદ્ય અને ઔષધિ વિભાગ સાથે વાત કર્યા બાદ તમામ વેપારીઓને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગના બેનર લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 'જબ તક દવા નથી હૈ, તબ તક ઢિલાઇ નહી'ના પોસ્ટર પણ દરેક ફાફડા-જલેબીની દુકાન પર લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 
 
ફરસાણ વેપારી એસોશિએશનના અધ્યક્ષએ કહ્યું કે દશેરા પર ગુજરાતમાં લોકો 400થી 500 કરોડ રૂપિયાના ફાફડા જલેબી અને ચોળાફળી ખાય છે. પરંતુ આ વખતે નિયમો ઉપરાંત કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીઓના કારણે વ્યવસાય લગભગ 200 કરોડ રૂપિયા સુધી થઇ શકે છે. કોરોનાના ડરના કારણે લોકો ઘરમાંથી બહાર ન નિકળે. સાથે જ તાળાબંધીના કારણે આર્થિક મુશ્કેલીના કારણે પણ લોકો આ વર્ષે દશેરામાં ફાફડા જલેબી ઓછા ખાશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments