Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધો. 9થી 12ની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર

Webdunia
શનિવાર, 29 જાન્યુઆરી 2022 (12:07 IST)
શિક્ષણમંત્રીએ ટ્વિટર પર આ જાહેરાત કરી છે. રાજ્યની 18 હજારથી વધુ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના 25 લાખ વિદ્યાર્થીઓને એકમ કસોટીનો લાભ થશે.સરકારે ધો.9થી12ની એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓ બોર્ડના પ્રશ્નપત્રો અને બોર્ડના જ કોમન ટાઈમ ટેબલ આધારિત જ સમગ્ર રાજ્યની સ્કૂલોમાં લેવાનું નક્કી કર્યું હતું.
 
અત્યાર સુધી બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો પૂરા પાડવામાં આવતા હતા
 
ઉલ્લેખનીય છે કે, ધો.9 થી 12ની એકમ કસોટી પેપરો અત્યાર સુધી ગુજરાત શિક્ષણ વિભાગના બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો પૂરા પાડવામાં આવાતાં હતાં. પરંતુ જેમાં બોર્ડના પ્રશ્નપત્રો પરીક્ષા વાઈરલ થવાથી માંડી ઘણી સ્કૂલો પોતાની રીતે પરીક્ષા લેવા સહિતના અનેક વિવાદો ઉભા થયા હતા.ઘણી સ્કૂલોએ વિરોધ પણ કર્યો હતો.અંતે શિક્ષણમંત્રીએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે સરકારે મહત્વનો નિર્ણય કરતા હવે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.9થી12ની માસવાર એકમ કસોટીઓ શાળા કક્ષાએ જ લેવાશે.આમ શાળા કક્ષાએ પરીક્ષા લેવાથી હવે પ્રશ્નપત્રોની ગોપનીયતા જોખમાવાના પ્રશ્નો નહીં રહે. રાજ્યમાં હાલ 18 હજાર જેટલી ધો.9થી12ની સ્કૂલો છે અને જેમાં 9થી12ના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.જેઓની એકમ કસોટી હવે સ્કૂલ કક્ષાએ લેવાતા સ્કૂલોને મોટી રાહત થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments