Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના પૂર્વ પોલીસ કમિશ્નર જસપાલસિંગનુ 91 વર્ષે નિધન

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (18:23 IST)
વડોદરા શહેરની શાન ગણાતા ભગવાન નરસિંહજીના વરઘોડાથી રાતોરાત હીરો બની ગયેલા પૂર્વ પોલીસ કમિશનર તથા વડોદરા મહાનગર સેવા સદનના પૂર્વ મેયર અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જસપાલસિંગનું રવિવારે મોડી રાત્રે 91 વર્ષની જૈફ વયે નિધન થયું છે.
પોલીસ તરીકેની પ્રશંસનીય કામગીરી 
 
આઈપીએસ ઓફિસર જસપાલસિંગ 1983માં વડોદરાના પોલીસ કમિશનર બન્યા હતા. તેઓ માત્ર 100 દિવસ માટે જ પોલીસ કમિશનર રહ્યા હતા. પરંતુ આ 100 દિવસમાં જ તેમણે બહુ જ લોકપ્રિયતા મેળવી લીધી હતી. તેમના કાર્યકાળમાં વડોદરામાં હિન્દુ-મુસ્લિમ તોફાનો થયા હતા. આ દરમિયાન વડોદરામાં નરસિંહજીનો વરઘોડો નીકળવાનો હતો. રાજ્ય સરકારે પણ વરઘોડો નહિ કાઢવા કહ્યું હતું. ત્યારે જસપાલસિંગની કડક નિગરાની હેઠળે વરઘોડો નીકળ્યો હતો, અને તેમાં કોઈ જ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જેને પગલે જસપાલસિંગ લોકોમાં છવાઈ ગયા હતા. તેથી 100 દિવસમાં જ સરકારે તેમની બદલીના ઓર્ડર આપ્યા હતા અને વડોદરાવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો. લોકોમાં હીરો બનેલા જસપાલસિંગે આખરે લોકચાહનામાં પોલીસ કમિશનર પદેથી રાજીનામું આપ્યું હતુ.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments