Webdunia - Bharat's app for daily news and videos

Install App

વીજળીના વાયરમાં ફસાયેલી ગણેશજીની મૂર્તિ કાઢતાં આઠ યુવાનોને કરંટ લાગ્યોઃ બેના મોત

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (12:49 IST)
ગણેશોત્સવ પૂર્વે શ્રીજીની વિશાળ પ્રતિમાને પંડાલમાં લાવી રહેલા યુવક મંડળના આઠ યુવાનો સાગમટે વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બની હતી. જેમાં બે યુવાનો સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે છને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.  

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના જીએચબી ગ્રુપ દ્વારા સુરત થી ૨૬ ફૂટ ઊંચી શ્રીજી પ્રતિમા મંગાવવામાં આવી હતી. અંકલેશ્વરના અન્સાર માર્કેટ પાસે ન્યુ ઇન્ડિયા આદર્શ માર્કેટ ખાતે ગોડાઉનમાં મૂકી તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જે તૈયાર થઇ જતા ચાર ફૂટની ટ્રોલી પર મૂકી આજરોજ લાવવામાં આવી રહી હતી. તે દરમિયાન આદર્શ માર્કેટ ખાતે પસાર થતી હાઈટેન્શન લાઈનમાં મૂર્તિનું માથું ફસાય જતા બાંબુ વાસ વડે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

વરસાદ વચ્ચે બાંબુ  વાસ સ્લીપ થતાં  વીજ વાયર પ્રતિમા પર પડ્યો હતો. જેના કારણે વીજ કરંટ ઉતાર્યો હતો.  જે વીજ કંરટ આઠ જેટલા યુવાનો લાગતા તેઓ ત્યાં જ ટ્રોલી અને મૂર્તિ પર ચોંટી ગયા હતા.  આ અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેઓએ વાયર ઉંચો કરતા યુવાનોનો છુટકારો થયો હતો.  પરંતુ તે પૂર્વે બે યુવાનના મોત નીપજ્યા હતા.  જ્યારે એક યુવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળે છે.  અન્ય પાંચ યુવાનો પણ ઘાયલ થયા હતા. 

ઇજાગ્રસ્તોને તાત્કાલીક જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક યુવાનો ઇજાગ્રસ્તોને સ્કૂટર, કારમાં બેસાડીને યુવાનો તાત્કાલીક હોસ્પિટલમાં મૂકી આવ્યા હતા.  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પાંચની હાલત સુધારા પર છે જ્યારે એકની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યા હતુ.  ઘટનાની જાણ થતાંની સાથે હોસ્પિટલ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા.  શહેર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments