Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષણ વિભાગનો એક નિર્ણય અને રાજ્યના 20 લાખથી વધુ પરિવારો દોડતાં થયાં

Webdunia
ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (12:17 IST)
રાજ્યના શિક્ષણ વિભાગના ઉતાવળિયા નિર્ણયનાં કારણે હેરાનગતિ આખરે વાલીઓ અને બાળકોને જ ભોગવવી પડે છે. આવો એક નિર્ણય હાલમાં રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે જેના કારણે રાજ્યનાં 22 લાખ પરિવારને  દોડતા અને વિચારતા કરી મુક્યાં છે. જાણો એવો તે કેવો નિર્ણય લીધો શિક્ષણ વિભાગના અધિકારીઓ એ કે આખરે  વાલીઓ અને બાળકો એ ભોગવવું પડશે. નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરૂ કરી દેવાશે. સામાન્ય રીતે નવું શૈક્ષણિક સત્ર 8 જૂનથી શરૂ થતું હતું. હવે નવું સત્ર 20 એપ્રિલથી શરૂ કરી 3 મેં સુધી ચાલશે અને 4 મેંથી ઉનાળુ વેકેશન શરૂ થશે જે 7 જુન સુધી રહેશે.
આ નિર્ણય એવો ઉતાવળિયો સાબિત થયો કે જેથી વાલીઓમાં રોષ ફેલાયો છે. આ નિર્ણયની સીધી અસર ઉત્તરભારતીય પરિવાર પર પડી છે. આમતો વેકેશન પડતા જ ઉત્તરભારતનાં પરિવારનાં લોકો પોતાના વતન જતા રહેતા હોય છે. આ વખતે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થતું હોય રાજ્યમાં વસતા 22 લાખ ઉત્તરભારતીય પરિવારને વિચારતા અને દોડતા કરી મૂક્યાં છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદનાં અગ્રણી મનોજભાઈએ જણાવ્યું કે, સરકારનાં નવા સત્રનાં આ નિર્ણયથી તેમને વતન જવાની ટિકિટ કેન્સલ કરાવી પડશે કે પછી બાળકોની રજા પાડીને પણ વતન જવું પડશે. ઉત્તર ભારત જવા માટે ટ્રેન માટેનું બુકિંગ 120 દિવસ પહેલા કરાવી પડે છે અને બુકિંગ શરૂ થયાનાં 2 કલાકમાં વેઈટિંગ આવી જતું હોય છે. તેવામાં મહામુસીબતે થયેલું બુકિંગ ફરી ક્યારે કનફોર્મ થશે તે નક્કી હોતું નથી.
વાલીઓ પણ માને છે કે, સરકારે આ નિર્ણય લેતા પહેલા સમય આપવાની જરૂર હતી. કે પછી નિર્ણયનું અમલીકરણ આવતા વર્ષે કરવાનું હતું. આ તો ઉત્તરભારતીય પરિવારની જ વાત  થઇ આવી જ રીતે ગુજરાતનાં પણ ઘણા પરિવાર વેકેશનમાં વતન કે પ્રવાસ જતા હોય છે. જો એવા લોકોએ પ્રવાસનું બુકિંગ કરાવી લીધું હશે તો તેમને યા તો પ્રવાસ કેન્સલ કરવો પડશે કે સ્કૂલમાં રજા પાડવી પડશે. મહત્વનું છે કે, શિક્ષણ વિભાગે લીધેલો આ ઉતાવળિયો નિર્ણય પહેલી વાર નથી. આ પહેલા પણ નવરાત્રીનાં વેકેશનમાં પણ આ જ પ્રકારે નિર્ણય લેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી હતી. જેના પગલે આખરે સરકારે નિર્ણય પાછો લેવો પડ્યો.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments