Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવસારીમાં બપોરે 1.9ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (16:38 IST)
નવસારીમાં બપોરે એક વાગ્યા આસપાસ 1.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 24 કિમી દૂર હોવાનું નોંધાયું છે. ભૂંકપના કારણે લોકોમાં થોડો ભય પણ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા એક મહિના પહેલા 27 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ત્યારબાદ આજે ફરી બપોરના 1 વાગ્યા આસપાસ નવસારીમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 1.9ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 24 કિમી દૂર અને 3.1 કિમી ઉંડાણમાં હોવાનું નોંધાયું છે. 1.9ની તીવ્રતાના ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. એક મહિના પહેલા નવસારી જિલ્લાના વાંસદામાં હળવા આંચકાઓ અનુભવાયા હતા. જેના કારણે લોકો રાત્રે પણ ઘરની બહાર સૂવા માટે મજબૂર થઈ ગયા હતા. જોકે, આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાતા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

ઉનાળામાં શુગર લેવલ વધવું એ છે ખતરાની ઘંટડી, બાબા રામદેવના આ ઘરેલું ઉપાયોથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલ

નાસ્તામાં ખાઓ આ 5 પ્રકારના ફ્રૂટ સલાડ, તમારું વજન ઘટશે અને ગરમી પણ કોઈ નુકસાન નહીં કરે

ગરમીમાં કરમાઈ રહ્યા છે છોડ તો રસોડાની આ વસ્તુથી ફરીથી થશે લીલાછમ

Summer Health Care હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

લેમન રાઇસ રેસીપી

Jokes- હા, કંજૂસ તો છે

રણબીર કપૂરની એનિમલથી આગળ નીકળી લાપતા લેડીઝ, 900 કરોડી ફિલ્મને આ મામલે પાછળ ઘકેલી

શાહરૂખખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ જ જોક્સ

Pahle bharat Ghumo- Goa જાણો ગોવામાં 5 દિવસના હનીમૂન માટે કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments