Webdunia - Bharat's app for daily news and videos

Install App

છાશ પીવાથી 500 લોકોને ફૂડ પોઈઝન

Webdunia
સોમવાર, 16 મે 2022 (15:23 IST)
ભાવનગરના સિંહોરમાં 500 થી વધુ લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભાવનગરના ફેમસ મુનિ પેંડાવાળાની છાશ પીવાથી એકસાથે 500 લોકોની તબિયત લથડી હતી. ત્યારે રવિવારથી સોમવાર દરમિયાન સિંહોરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. તેમજ આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ હતું. 
 
સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા. લીલીપીર સહિતના વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી. જેને પીધા બાદ લોકોની તબિયત બગડી હતી. પ્રસંગ બાદ લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. ત્યારે સારવાર માટે તમામને સિહોરના દવાખાનામાં લઈ જવાયા હતા.
 
રાત પડતા પડતા તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. આ કારણે પોલીસ તથા આરોગ્ય વિભાગ બંને દોડતા થયા હતા. ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી હતી. 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments