Webdunia - Bharat's app for daily news and videos

Install App

'જૂનાગઢના દીવાને' જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા અભિયાન શરૂ કર્યું

Webdunia
ગુરુવાર, 17 ડિસેમ્બર 2020 (13:13 IST)
જૂનાગઢના નવાબના પપૌત્ર અહમદઅલીએ પાકિસ્તાનમાં જૂનાગઢની જમીન પર કાયદાકીય દાવો કરતું ઑનલાઈન અભિયાન શરૂ કર્યું છે. તેઓ જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા માગે છે.
 
તાજેતરમાં જ પાકિસ્તાને નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો. જેમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. તેના થોડા મહિના પછી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
 
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અહમદઅલીના દાદા નવાબ મહબત ખાને જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું.
 
હાલમાં જ 10 ડિસેમ્બરે જૂનાગઢના દીવાન (વઝીર-એ-આઝમ) તરીકે અહમદઅલીની તેમના પિતા જહાંગીર ખાને નિમણૂક કરી હતી.
 
અલી પાકિસ્તાનમાં મુસ્લિમ ઇન્સ્ટિટ્યુટના ચૅરમૅન છે. તેમણે 'જૂનાગઢ ઇઝ પાકિસ્તાન' નામના અભિયાનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે, "જૂનાગઢ પાકિસ્તાન છે એ માત્ર નારો નથી પરંતુ મિશન છે અને હું તેના માટે મારી આખી જિંદગી લગાવી દઈશ"
 
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આ મામલે કહ્યું છે, "અલીમાં જૂનાગઢમાં આવવાની હિંમત નથી. પાકિસ્તાનમાં બેસીને ભારતમાંથી જે ભાગ છૂટો ના પડી શકે તેના વડા પ્રધાન પોતાને જાતે જ જાહેર કરવા એ એક ગુલાબી સ્વપ્ન છે, જે ક્યારેય પૂર્ણ નહીં થાય."

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments