Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમ આદમી પાર્ટીએ મોટો દાવ ખેલ્યો? ગુજરાતમાં પાટીદારોના મતો અંકે કરવા આ નેતાને પંજાબમાંથી રાજ્યસભામાં મોકલી શકે

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (16:48 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. મોદીની મુલાકાત બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગયા છે. તેમાં પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રાજકારણમાં આવવાના સંકેત આપી રહ્યા છે. જે અંગે આજે તેમણે જણાવ્યું હતું કે, 20 અને 30 માર્ચની વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરીશ. હું લોકોના કામ કરવામાં માનું છું, મંત્રી બનવા નથી માગતો. તેમા પણ તાજેતરમાં તેઓએ દિલ્હીની મુલાકાત લીધી હોવાથી તેમની રાજકીય ઇનિંગ અંગે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી તેમને રાજ્યસભામાં લઈ જવાની ઓફર કરી રાજકારણમાં એન્ટ્રી કરાવી શકે છે.માર્ચના અંતમાં પંજાબમાં રાજ્યસભાની પાંચ બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે, આ ચૂંટણીમાં આપને 4 બેઠક મળે તેમ છે તે સંજોગોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેશ પટેલને રાજ્યસભા લડવાની ઓફર કરી શકે છે. દિલ્હી બાદ પંજાબમાં પણ વિજય બાદ આપની નજર ગુજરાતમાં પાટીદારો તરફ વધુ છે. એટલું જ નહીં પાટીદાર આગેવાન નરેશ પટેલ પણ હાલ રાજકારણમાં પ્રવેશવા થનગની રહ્યા છે, ભાજપ અને કૉંગ્રેસની સાથે આપના નેતાઓ પણ નરેશ પટેલનો સંપર્ક કરી આપમાં જોડાવાની ઓફર પણ કરી ચૂક્યા છે.નરેશ પટેલ બે દિવસ પહેલા દિલ્હી પણ જઈ આવ્યા છે. એટલું જ નહીં નરેશ પટેલે આજે જ કહ્યું હતું કે, રાજકીય પ્રવેશ અંગે 20 થી 30 માર્ચ સુધીમાં નિર્ણય કરીશ. તેની પાછળનું એવું ગણિત હોઈ શકે કે, પંજાબમાં રાજ્યસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. એટલે જ નરેશ પટેલ પણ આપમાં રાજ્યસભાની ચૂંટણી લડી સીધા દિલ્હીના રાજકારણમાં જઈ શકે. તેની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેશ પટેલ આપનો પ્રચાર કરી શકે છે. એવું પણ કહેવાય છે કે, જો ગુજરાતમાં આપની સરકાર બને કે ના બને પણ તેમનું દિલ્હી સુધીનું રાજકારણ તો સલામત રહી શકે છે.પંજાબમાં જુલાઈ સુધીમાં રાજ્યસભાની 7 બેઠકની ચૂંટણી યોજાશે. જેમાંથી આપને 6 બેઠક મળવાની શક્યતા છે. આ સાથે જ આપ પણ બીજુ જનતાદળની જેમ રાજ્યસભામાં 9 સીટ સાથે છઠ્ઠા ક્રમે આવી જશે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments