Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગજબની પબ્લિસીટી, લોકોએ ગણેશજી કે લક્ષ્મીજી નહીં પણ પીએમ મોદીની છાપ વાળા સોનાના બાર ખરીદ્યા

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (14:39 IST)
વાહ રે વેપારીઓ! લોકોને ખરીદી કરવા માટે ઉત્સાહ વધારવો અને બે રાજકારણીઓને વધારે પબ્લિસીટી આપવી તમને ફાવે છે ભાઈ. આમ તો લોકો ધનતેરસ અને ખાસ કરીને દિવાળીમાં ગણેશજી અને લક્ષ્મીજીના સિક્કા ખરીદતા હોય છે પણ હવે તો વડાપ્રધાન મોદીને એક વેપારીએ સોના અને ચાંદીના બાર પર સ્થાન આપી દીધું છે. 

દિવાળીના એક દિવસ અગાઉ ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો ધનની પૂજા કરે છે અને સોના-ચાંદી સહિત અનેક વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે. સુરતમાં એક ઝવેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ફોટા વાળા સોના અને ચાંદીના બાર બનાવ્યા છે.

દુકાનમાં સોના-ચાંદીની ખરીદી કરવા આવેલા એક ગ્રાહકે જણાવ્યું હતું કે, દરેક દિવાળી પૂર્વે અમે સોના-ચાંદીના રૂપે લક્ષ્મી ઘરે લઇ જઇએ છીએ, આ દિવાળીએ અમે નરેન્દ્ર મોદીના ફોટા વાળા સોનાના બાર ઘરે લઇ જઇશું. પીએમ મોદી અમારા માટે ભગવાન છે અને હું તેમની પૂજા કરીશ. દુકાનના માલિક મિલાને જણાવ્યું હતું કે, દિવાળી શુભ અવસર પર હોય છે, જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશમાં વિકાસ અને કલ્યાણની ગતિને વેગ મળ્યો છે. આ પ્રથમ વાર નથી કે, વડાપ્રધાન મોદીના ફોટાવાળા સોના-ચાંદીના બાર બનાવવામાં આવ્યા હોય. અગાઉ રક્ષા બંધનના અવસર પર પણ સુરતના જ એક ઝવેરીએ પીએમ મોદી અને સીએમ યોગીના ફોટા વાળા સોના-ચાંદીના બાર વેંચ્યા હતા.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments