Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિસર્ચમાં કર્યો દાવો: આગામી બે અઠવાડિયામાં ગુજરાતમાં આવશે ત્રીજી લહેરની પીક

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (08:50 IST)
કોરોનાની ત્રીજી લહેરનો ગુજરાત સહિત દેશભરમાં કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી બે અઠવાડિયામાં ત્રીજી લહેરની પીક આવી શકે છે. IIT મદ્રાસે અભ્યાસમાં દાવો કર્યો છે કે ૬ ફેબ્રુઆરી સુધી સૌથી વધુ કેસ નોંધાઈ શકે છે.
 
જ્યારે કોઈ દ્વારા સંક્રમણ ફેલાવાનો દર એટલે કે ઇ વેલ્યૂમાં પણ ઘટાડો થઈ શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં કોમ્યુનિટી ટ્રાંસમિશનના સ્ટેજમાં પહોંચી ગયો છે. જેથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પીક ૧૪ દિવસમાં જોવા મળી શકે છે.
 
IITમદ્રાસે જણાવ્યું છે કે કોરોનાના કેસમાં ૬ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨ સપ્તાહમાં પીક પર પહોંચી જશે. ત્રીજી લહેરનું મુખ્ય કારણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને માનવામાં આવે છે. અભ્યાસ મુજબ ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો દર બતાવનાર ઇ વેલ્યૂ ૧૪ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી વચ્ચે ૨.૨થી ઘટીને ૧.૫૭ થઈ ગઈ છે. એવામાં ત્રીજી લહેરની આગામી ૧૫ દિવસમાં પીક જોવા મળી શકે છે.એનાલિસિસના આધારે આ દાવો કરવામાં આવ્યો છે.
 
પરંતુ આ એક માત્ર અંદાજ છે. જેમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે. કોરોનાને ફેલાવવાનો દર ઇ વેલ્યુ રજૂ કરે છે. ઇ વેલ્યુ એ જણાવે છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ, કેટલા લોકોને સંક્રમિત કરે છે. જો ઇ વેલ્યુ ૧થી વધુ છે તો તેનો અર્થ છે કે કેસ વધી રહ્યાં છે અને જો ૧થી નીચે જોવા મળે તો મહામારીને ખતમ ગણવામાં આવે છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments