Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાંડીયાત્રામાં ભાગ લેનાર તમામ 81 પદયાત્રીઓનો અને પોલીસકર્મી/ અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે

Webdunia
ગુરુવાર, 11 માર્ચ 2021 (15:26 IST)
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવશે.
અમદાવાદ 
સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે 12 માર્ચ એટલે કે આવતીકાલે શુક્રવારે દાંડીકૂચ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમની મુલાકાતે આવવાના છે ત્યારે ગાંધીઆશ્રમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં આવશે અને ડોમમાં હાજર રહેનાર તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.  તમામ પોલીસકર્મીઓનો ગાંધી આશ્રમમાં જ રેપીડ કોરોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગાંધીઆશ્રમમાં જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે તેઓ અને આશ્રમની કેટલીક મહિલાઓ પણ તે સમયે હાજર રહેવાની હોવાથી તેમનો પણ ટેસ્ટ કરવામાં આવશે. 
આશ્રમમાં તૈયારીઓનો આખરી ઓપ આપવામા આવી રહ્યો છે જેમાં ગાંધીઆશ્રમને સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જે લોકો દાંડી યાત્રામાં ચાલવાના છે તેઓ તમામના પણ કોરોના ટેસ્ટ કરવામા આવશે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોમ ઉભા કરવામાં આવશે. આજે સાંજે અથવા સવારે વહેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો પોઝિટિવ આવશે તેઓને દાંડી યાત્રામાં ભાગ લેવા દેવામાં નહિ આવે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments