Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘વાયુ વાવાઝોડું’ જાણો પળેપળની ખબર એક ક્લિક પર

Webdunia
મંગળવાર, 11 જૂન 2019 (12:29 IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 740 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.
ઉનાના દરિયાઇ નવાબંદર પર વાવાઝોડાના પગલે 300થી વધુ નાની-મોટી ફિશિંગ બોટ પરત ફરી ચૂકી છે. ઉનાના સૈયદ રાજપરા બંદર પર 200થી વધુ ફશિંગ બોટ પરત ફરી છે. બીજી તરફ વેરાવળ બંદર પર તમામ બોટ પરત આવી ગઇ છે અને માછીમારો પણ સુરક્ષિત બંદરે પહોંચ્યા છે. ગઇકાલે 47 બોટ દરિયામાં હતી. તંત્ર દ્વારા તે તમામને બંદરે પાછી બોલાવવામાં આવી છે. વેરાવળમાં હાલ શાંત વાતાવરણ છે.
દ્વારકા જિલ્લાના 10 બંદરો પરથી રજિસ્ટ્રેશન થયેલી 5221 તમામ માછીમારી બોટો કિનારે આવી ચૂકી છે. માછીમારોએ પોતાની બોટો દરિયા કિનારા પર બંદરો પર લંગારી દિધી છે. 15 ઓગષ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાગરખેડૂઓ માટે માછીમારી વ્યવસાય 15 ઓગષ્ટથી 9 સુધી ચાલે છે. આ સમયગાળામાં માછીમારી દરિયામાં માછીમારી કરવા માટે નીકળે છે. દેવભૂમિ દ્વારકાના સમુદ્રમાં પ્રમાણમાં માછલીઓનો જથ્થો મળી રહેતો હોવાથી ગુજરાતના અન્ય વિસ્તારમાંથી પણ માછીમારી આવે છે. 
વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવાનો સૂચના અપાઈ છે. અને હાલ હજીરા ખાતે ઉદ્યોગોના વહાણો, સ્ટીમર દરિયા કિનારે લંગારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતભરમાં 1700 જેટલી બોટો અલગ-અલગ બંદરો પર લંગારવામાં આવી છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ ગુજરાતની દિશામાં આગળ ધપી રહી હોવાના સંકેતના પગલે કલેક્ટરે કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા ટ્વીટ કર્યું છે. વલસાડ જિલ્લાની દરિયાઇ સીમા સહિતના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર,ઓખા,જખૌ,વેરાવળ સુધી જનારા માછીમારોને દરિયો નહિ ખેડવા વલસાડ કલેકટર સી.આર.ખરસાણે ટ્વીટ કર્યું છે.જેમાં આગામી દિવસોમાં મોસમની સક્રિયતાના કારણે માછીમારોએ ખુલ્લા દરિયામાં માછીમારી ન કરવા જણાવ્યું છે. આ સાથે જરૂર પડ્યે કન્ટ્રોલ રૂમ પર ફોન નં.02632-243238 અને 02632-1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે.વાદળિયા હવામાન વચ્ચે બે દિવસથી 67 ટકા ભેજ જોવા મળી રહ્યું છે.
નવસારી કલેકટરે  વાવાઝોડાની સંભાવનાને પગલે જિલ્લામાં જાન માલનું નુકશાન ના થાય તે માટે અગમચેતીના પગલાં રૂપે બેઠક બોલાવી હતી.વાવાઝોડાની અને વરસાદની સંભવિત અસરની શકયતા ધરાવતા જિલ્લાના કાંઠા વિસ્તારમાં રોજગારી અર્થે ગયેલા માછીમારોને તાત્કાલિક પાછા બોલાવી લેવા મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકને આદેશ કર્યો છે અને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે. અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે આગામી 24 કલાકમાં સાઈક્લોનિક સ્ટ્રોમ અને ત્યારબાદ સર્વર સાઈક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇ એવી સંભાવનાથી સુરતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ચક્રવાતના કારણે વાદળો આવવાના શરૂ થઇ જતાં શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે સવારથી જ બફારો અને ઉકળાટ થતાં લોકો અકળાઈ ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments