Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારની ખરાબ નીતિને કારણે અર્થ વ્યવસ્થાની કમર તૂટીઃ મનમોહનસિંહ

Webdunia
મંગળવાર, 12 માર્ચ 2019 (17:23 IST)
ગુજરાતમાં 58 વર્ષ બાદ અમદાવાદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ, શહેરના શાહિબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત પ્રિયંકા ગાંધીએ પણ ગાંધીજી તથા પુલવામાં હૂમલામાં શહિદ થયેલા સૈનિકોને અંજલિ અર્પણ કરી હતી. આ પહેલા તેમણે સરદાર પટેલને સુત્તરની આંટી પહેરાવાની સ્મરણાંજલિ આપી હતી. અહીં રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધ્વજ લહેરાવ્યો હતો. સરદાર સ્મારકમાં ખાતે કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરએસએસ અને ભાજપના ફાંસીવાદની વિચારધારા, નફરત, ગુસ્સો અને વિભાજનવાદી વિચારધારાને પરાજીત કરવા માટે ઠરાવ કર્યો હતો. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સલાહ આપતા કહ્યું કે, યુપીએ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે ,'મોદી સરકારની ખરાબ નીતિને કારણે અર્થ વ્યવસ્થાની કમર તૂટી ગઇ છે.' જ્યારે સોનિયા ગાંધીએ પીએમ મોદીની ઝાટકણી કાઢતા કહ્યું, 'મોદી રાષ્ટ્રનાં હિતનાં ભોગે રાજનીતિ કરે છે. મોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સાચા અર્થમાં દેશની જનતા પીડિત છે.
 
 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments