Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના વાડજમાં 60 વર્ષના વૃદ્ધે સાડાત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

અમદાવાદના વાડજમાં 60 વર્ષના વૃદ્ધે સાડાત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
Webdunia
બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (09:59 IST)
વાડજમાં 60 વર્ષના વૃદ્ધે સાડાત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. સામેના ઘરમાં રમી રહેલી બાળકી નહીં દેખાતાં માતાએ તપાસ કરતાં વૃદ્ધ બાળકીને તેના ઘરે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી માતા વૃદ્ધના ઘરે પહોંચતાં વૃદ્ધે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.આ અંગે વાડજ પીઆઈ વી.આર.ચાવડાએ જણાવ્યું હતું કે વાડજ વિસ્તારમાં એક 60 વર્ષના વૃદ્ધ ભાડાના મકાનમાં એકલા જ રહે છે. તેમના પરિવારના સભ્યો ઉત્તરપ્રદેશમાં રહે છે. જ્યારે એ જ મકાનમાં નીચે એક પરિવાર ભાડેથી રહે છે. આ પરિવારની સાડાત્રણ વર્ષની બાળકી મંગળવારે બપોરે ઘરની સામે એક બહેનના ત્યાં રમી રહી હતી. માતા જોવા ગઇ ત્યારે બાળકી ત્યાં ન હતી. માતાએ તપાસ કરતાં કામ કરતા મજૂરોએ જણાવ્યું હતું કે તમારા મકાનની ઉપરના માળે રહેતા વૃદ્ધ બાળકીને લઈ ગયા છે. આથી માતા તરત જ વૃદ્ધના ઘર તરફ દોડીને જઈ રહી હતી ત્યારે જ બાળકી પગથિયાં ઊતરીને નીચે આવી રહી હતી. જોકે બાળકીની સ્થિતિ જોતાં તેની સાથે કોઈ અઘટિત ઘટના બની હોય એવું માતાને લાગ્યું હતું. આ અંગે માતા - પિતાએ પૂછતાં બાળકીએ કહ્યું હતું કે દાદા મને ઉપર લઈ ગયા હતા અને મારી સાથે અડપલાં કર્યાં હતાં. આ અંગે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વૃદ્ધને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments