Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ધોરણ 11ની બે વિદ્યાર્થીની સહિત ધોરણ 10નો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

Webdunia
ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (09:12 IST)
સ્કૂલો શરૂ થયાને માંડ પંદર દિવસ થયા છે ત્યાં જ વિદ્યાર્થીઓને કોરોના થયાના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં લિંબાયતની સુમન સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીને જયારે સિંગણપોરમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો. બંન્ને સ્કૂલોને સાત દિવસ માટે બંધ કરાવી દેવામાં આવી છે.સિંગણપોરની સ્કૂલમાં ભણતી બંન્ને વિદ્યાર્થીની કતારગામમાં સાથે ટયૂશન કલાસીસમાં જતી હતી. એકને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો અને અન્ય વિદ્યાર્થીનીને માથામાં દુ:ખાવો હતો. બંન્નેના પરિવારમાં દરેક સભ્યોએ વેકિસનનો પહેલો ડોઝ લીધો હોવાનું પાલિકાની તપાસમાં સ્પષ્ટ થયું છે. જે ટયુશન કલાસમાં બંન્ને વિદ્યાર્થીની જતી હતી તે ટયુશન કલાસ પણ સાત દિવસ માટે બંધ કરાવાયા છે. જયારે સ્કૂલમાં આ બંન્ને વિદ્યાર્થીનીની સાથે ભણતાં અન્ય 42 વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મંગળવારે લિંબાયતની સુમન સ્કૂલમાં જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો તેના પરિવારમાં પણ તમામ સભ્યોએ વેકિસનના બંન્ને ડોઝ લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ પોઝેટિવ ત્રણેય ‌વિદ્યાર્થીઓના પરિવારમાં કોઈને પણ કોરાના નથી ત્યારે તેમને ચેપ કેવી રીતે લાગ્યો તે અંગે પાલિકાએ તપાસ હાથ ધરી છે. સ્કૂલોમાં ‘સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ’ બનાવવા પાલિકાએ આદેશ કર્યો છે. આચાર્યના અધ્યક્ષસ્થાને આ સમિતિ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજીસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ તે તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ પણ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તો સ્કૂલે ન આવવા કહેવાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

વધુ જુઓ..

નવીનતમ

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

આગળનો લેખ
Show comments