Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીએમના ટેસ્ટિંગ વધારવાના આદેશને રાજકોટનું તંત્ર ઘોળીને પી ગયું હોય તેવો ઘાટ

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2020 (17:11 IST)
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોને પગલે મુખ્યપ્રધાને આરોગ્યની ટીમ સાથે રાજકોટમાં રિવ્યુ બેઠક લીધી અને આ બેઠકમાં ટેસ્ટીંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે મુખ્યપ્રધાનના આદેશ રાજકોટના વહીવટી વિભાગ ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. છેલ્લા એક સપ્તાહથી જે ટેસ્ટીંગ કરવામાં આવ્યા તેના બમણાં કરવાને બદલે તેને ઘટાડવામાં આવ્યા છે. એટલે કે જે દિવસે મુખ્યપ્રધાને સૂચના આપી તે દિવસે આરોગ્ય વિભાગે સપ્તાહના એવરેજ ટેસ્ટીંગ કરતા અડધા ટેસ્ટીંગ કર્યા હતા. વિરોધ પક્ષે તંત્ર દ્રારા મુખ્યપ્રધાનના હોમ ટાઉનમાં કેસ ઓછા દેખાડવા માટે આંકડાની માયાજાળ તૈયાર કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.આ તરફ મેયરે સબ સલામત હોવાનો દાવો કર્યો અને શહેરમાં પુરતા પ્રમાણમાં ટેસ્ટીંગ થતા હોવાનું જણાવ્યુ હતુ સાથે સાથે સીએમની સૂચનાનું પાલન થશે અને  આ માટે જરૂરી સૂચના આપવામાં આવશે તેવુ પણ જણાવ્યુ હતું.આ અગાઉ મોતના આંકડાઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. હવે ટેસ્ટીંગ સાઇઝ સામે પણ સવાલ ઉઠી રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં એવરેજ 50 થી 55 પોઝિટિવ કેસ સામે આવે છે જેનાથી કેસ વધતા નથી ત્યારે ટેસ્ટીંગ અને પોઝિટિવ દર્દીઓની સંખ્યાને લઇને જરૂરથી સવાલો ઉઠી રહ્યા છે. હવે એ પણ જોવાનું રહેશે કે ટેસ્ટિંગ વધારવાથી રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા કેટલી આવે છે.

સંબંધિત સમાચાર

Ram Navami 2024: રામનવમી પર રામલલાને આ વિશેષ પ્રસાદ ચઢાવો, પ્રસન્ન થશે

Kanya Pujan Prasad Recipe 2024: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતા રાણી થશે પ્રસન્ન

Navratri Prasad Recipe 2024: આજે મા કાલરાત્રીનો દિવસ છે, નોલેન ગોળ રસગુલ્લા માતાને પ્રસાદ તરીકે ચઢાવો.

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

Navratri Prasad Recipe 2024:નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરો, પ્રસાદમાં અનાનસના કેસરના શીરા બનાવો.

Salman Khan House Firing: સલમાન ખાનના ઘર પર કેમ કરવામાં આવ્યો ગોળીબાર ? સામે આવ્યા 2 મોટા કારણ

સાઉથ ઈંડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતાએ પૈસાની તંગીને કારણે કરી આત્મહત્યા

તારક મહેતાની અભિનેત્રીની બહેનનું નિધન

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું, બાઇક સવાર હુમલાખોરોએ 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું.

સ્કોર્પિયો-પિકઅપની ટક્કર, છત્તીસગઢ ફિલ્મ ઈંડસ્ટ્રીના વિલન સૂરજ મહેરની મોત, જે દિવસે કરી સગાઈ એ જ દિવસે ગુમાવ્યો જીવ

આગળનો લેખ
Show comments