Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 12 જાન્યુઆરીએ આવેલો વેક્સિનનો જથ્થો 1લી મેએ એક્સપાયર થશે

corona vaccine expiry date
Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (15:02 IST)
પુણેથી કોરોના વેક્સિનનું અમદાવાદ એરપોર્ટમાં આગમન થયું છે. ગુજરાતમાં હાલમાં કુલ સીરમ કોવિશીલ્ડ વેક્સિનનો કુલ 2 લાખ 76 હજારનો જથ્થો આવ્યો છે. જેમાથી 1 લાખ 20 હજાર વેક્સિન અમદાવાદ અસારવા સિવિલ જ્યારે 96 હજાર વેક્સિનનો જથ્થો ગાંધીનગર સિવિલ પહોંચ્યો છે. ગુજરાતમાં આવેલી વેસ્કિનને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠયા છે. જેમ કે, વેક્સિન ફ્રી છે કે નહીં, કેવી રીતે વેક્સિન મળશે? વેક્સિનને રાખવા માટે શું વ્યવસ્થા કરાઈ છે વગેરે. ત્યારે આજે અમે આ લેખના માધ્યમથી વેક્સિનને લખતી કેટલીક માહિતીઓ આપી રહ્યા છીએ. ગુજરાતને મળેલા વેક્સિનના જથ્થાની વેલિડિટી 6 મહિના સુધીની જ છે. એરપોર્ટ પર આવેલા બોક્સમાં છપાયેલી માહિતી અનુસાર, વેક્સિન મેનુફેક્ચરી 3/11/2020ની છે, જ્યારે તેની એક્સપાયર તારીખ 1/05/2021 દર્શાવવામાં આવી છે. એટલે કે આજે આવેલી વેક્સિન મે મહિના સુધી જ યોગ્ય રહેશે. ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકશે નહીં. વેક્સિનના એક બોક્સમાં 12 શીશીઓ(વાયલ) છે. અને આ વેક્સિન નોટ ફોર સેલ છે, એટલે કે આને રિટેલ માર્કેટમાં વેચવામાં નહીં આવે. વેક્સિન અમદાવાદ આવે તે પહેલા જ તેના સ્ટોરેજ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. અસારવા સિવિલમાં પણ વેક્સિન માટે સ્પેશિયલ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો છે. આ વેક્સિન 2ડિગ્રીc અને 8ડિગ્રીc કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે. વેક્સિનના બોક્સમાં ખાસ સૂચના આપવામાં આવી છે કે, કોઈપણ વ્યક્તિને વેક્સિન લેવા માટે સૌથી પહેલા ડોક્ટરની મેડિકલ પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. તે સિવાય વેસ્કિન આપવામાં આવશે નહીં. ગુજરાતમાં આવેલા વેક્સિનના 23 બોક્સમાંથી 10 બોક્સ અમદાવાદ અસારવા સિવિલ પહોંચ્યા છે. સરકારને વેક્સિનનો એક ડોઝ 200 રૂપિયામાં પડશે. 16 જાન્યુઆરીથી વેક્સિન આપવાનું શરૂ કરશે. જેમા સૌથી પહેલા હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વોરિયરને રસી અપાશે. વેસ્કિનનો બીજો જથ્થો પુણેથી કોલ્ડ ચેઇનમાં સુરત વડોદરા ખાતે મોકવામાં આવશે. જેમા સુરતમાં 93500નો જથ્થો જ્યારે વડોદરા ખાતે 95450 જથ્થો પહોંચાડવામાં આવશે. રાજકોટ માટે 77000નો જથ્થો બાય રોડ પહોંચશે. 16 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોંફરન્સથી આરોગ્ય કર્મચારી સાથે વાતચીત કરવામાં આવશે. આ જથ્થો પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા અનુમાર્ગદર્શન બાદ અન્ય જથ્થો આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments