Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 જાન્યુઆરીએ રાજ્યના તમામ 248 તાલુકામાં કોરોના વેક્સિનેશનની ટ્રાયલ રન, પ્રથમ તબક્કામાં 4.33 લાખ કર્મીઓને રસી અપાશે

Webdunia
ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (16:17 IST)
દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાઈરસ સંદર્ભે નાગરિકોને ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થવાની છે, ત્યારે આ રસીથી દેશના નાગરિકોને સુરક્ષીત કરવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓએ કરેલા આયોજન સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી. આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલા આયોજનની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસીથી સુરક્ષિત કરવાના છે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 4.33 લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર-નર્સ, હેલ્થ વર્કરો, મલ્ટીપર્પઝ વર્કરો, સુપરવાઇઝર, સ્વિપર સહિતના કર્મીઓને આવરી લેવામાં આવનાર છે. નીતિન પટેલે આગળ કહ્યું કે, રાજ્યના 33 જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મોપ-અપ ડ્રાયરન રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાઓમાં આ ડ્રાયરનનું આયોજન કરવા જણાવ્યું હતું. તે સંદર્ભે ગુજરાતે આગળ વધીને રાજ્યના 248 તાલુકાઓ અને 26 ઝોનમાં તાલુકા/ઝોનદીઠ ત્રણ વેક્સિનેશન સાઇટ ખાતે આ ટ્રાયલ રન 8 જાન્યુઆરીએ યોજવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી નહીં મળવાના પ્રશ્નો ઉદભવે છે તેવા સંજોગોમાં રસી અંગે લોકોને જાણકારી આપવામાં તકલીફો પડે છે. આવા સંજોગોમાં ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા સારુ પણ તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકનોલોજીની રસી 1000 લોકોને આપવા માટેનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. તે તમામને આ રસી આપી દેવાઇ છે. તેની કોઇને પણ આડઅસર જોવા મળી નથી. બીજા રાઉન્ડમાં પણ 300 નાગરિકોને આ રસી આપવામાં આવી છે.ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા કરાયેલ કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યોએ દિન-રાત સતત મહેનત કરી છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી. તેના પરિણામે ભારતને કોરોના સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના માર્ગદર્શન થકી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમયબધ્ધ આયોજન કર્યું. જેના પરિણામે આ સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ કે, સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં 1 કરોડ 3 લાખ 95 હજાર 278 કેસ થયા છે. તે પૈકી 2 કરોડ 16 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અન્ય દેશો કરતાં ભારતમાં રીકવરી રેટ 96.35 % અને મૃત્યુદર 1.45 % જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રીકવરી રેટ છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશમાં ટૂંક સમયમાં કોરોનાની રસી ઉપલબ્ધ થવાની છે. આ રસીથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે આવતીકાલે સમગ્ર દેશમાં ડ્રાયરન યોજાશે, જેમાં તમામ રાજ્યોને સુચારુ રૂપે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments