Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 લોકોમાં કોરોનાના કોઇ લક્ષણો નહી, તેમછતાં રિપોર્ટ પોઝિટિવ

Webdunia
શુક્રવાર, 10 એપ્રિલ 2020 (12:46 IST)
અમદાવાદ શહેરમાં એક દિવસમાં કોરોનાના 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખાસકરીને દાણીલીમડાના સફી મંજિલ વિસ્તારમાં કોરોનાનું એપી સેન્ટર ગણવામાં આવે છે. અહીં એક વ્યક્તિના લીધે 30 લોકો સંક્રમિત થયા છે. આશ્વર્યની વાત એ છે કે આ 30 લોકોમાં કોરોનાના કોઇ લક્ષણ હોવા છતાં પણ તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.   
 
ગુરૂવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાંસમિશનના છે. કુલ 58 કેસમાં 30 કેસ ફક્ત સફી મંજિલ વિસ્તારના છે. આ પહેલાં એક પોઝિટિવ કેસ મળતાં સમગ્ર વિસ્તારને કલસ્ટર ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. તેમાં 7 વર્ષની બાળકીથી માંડીને 92 વર્ષના વૃદ્ધના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. 
 
આ પહેલાં એસવીપીમાં સારવાર કરાવી રહેલા 48 વર્ષીય એક વ્યક્તિનો રિપોર્ટ આવતા પહેલાં મોત થયું છે. તો બીજી તરફ સિવિલમાં પણ એક 50 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ પ્રકારે કુલ 7 લોકોને કોરોનાએ ચપેટમાં લઇ લીધા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 153 થઇ ગઇ છે. 
 
દાણીલીમડા વિસ્તારમાં રહેનાર 55 વર્ષીય અબ્દુલ ક્યૂમ શેખને 31 માર્ચના રોજ કોરોના પોઝિટિવ બતાવવામાં આવ્યો હતો, તેથી એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ વ્યક્તિ જ્યાં રહે છે, તે સ્થળ પણ સ્વાસ્થ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરી દીધા હતા. બીજી તરફ સફી મંજીલ વિસ્તારમં 128 ઘરને કલસ્ટર કોરોન્ટાઇન કરી દીધા છે. જાણવા મળ્યું છે કે એક વ્યક્તિએ પોતાના 30 સાથીઓને સંક્રમિત કર્યા છે. આ લોકોમાં કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી, પરંતુ તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments