Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોનાના કેસથી મળી રાહત, આજે નોંધાયા 2909 કેસ, 21 ના મોત

Webdunia
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (22:03 IST)
ગુજરાતમાં આજથી શાળાઓ ખુલી ગઈ છે. વાલીઓને થોડી ચિંતા તો થઈ હશે પરંતુ કોરોનાના રોજ ઘટી રહેલા આંકડાથી રાહતનો શ્વાસ પણ લીધો હશે. આજે 24 કલાકમાં 2,909 કેસ કોરોના પોઝિટિવ આવ્યા જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 928 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 90 કેસ તો રાજકોટ શહેરમાં 108 કેસ, વડોદરા શહેરમાં 462 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 131 કેસ, ભાવનગર શહેરમાં 27 કેસ સામે આવ્યા છે.  ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં કોરોના એકદમ શાંત પડશે તેવુ નિષ્ણાતોનુ માનવુ છે. 
 
આજે  21 દર્દીના મોત થયા છે. જેમા  અમદાવાદ શહેરમાં 6, વડોદરા શહેરમાં 4 મોત થયાં છે. જ્યારે સુરત શહેરમાં 2 મોત નોઁધાયા છે. તો ગાંધીનગર શહેર, સુરત, અમદાવાદ, વલસાડ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા અને જામનગર જિલ્લામાં 1-1 મોત નોઁધાયું છે. 5 જિલ્લા અને 5 મહાનગરમાં મોત નોઁધાયા છે. જ્યારે 26 જિલ્લા અને 3 મહાનગરમાં એકપણ મોત થયું નથી.  રાજ્યનો રિકવરી રેટ વધીને 95.90 ટકા થઈ ગયો છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 3 હજાર 150ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 688 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 11 લાખ 53 હજાર 818 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 38 હજાર 644 એક્ટિવ કેસ છે, જેમાંથી 215 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 38 હજાર 429 દર્દીની હાલત સ્થિર છે.
 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments