Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચલો ખેતરે-ચલો ગામડે' આજે કૃષિ કાયદાની જાહેરમાં કરશે હોળી

Webdunia
શનિવાર, 26 ડિસેમ્બર 2020 (13:11 IST)
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળીના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અને ગુજરાતના લાખો અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે. ખેડે તેની જમીન ના કાયદાથી કોંગ્રેસપક્ષે ખેડૂતોને જમીનના માલીક બનાવ્યા. 
 
તેમણે એવી માગ કરી હતી કે, કૃષિ સંબંધિત 3 કાળા કાયદા કેન્દ્ર સરકારે તાત્કાલિક પાછા ખેંચવા જોઇએ. કોંગ્રેસે ‘ચલો ખેતરે – ખેતી બચાવો, ખેડૂત બચાવો’ ખેડૂતો સાથે તા. 26 ડીસેમ્બરે સંવાદ યોજવાની જાહેરાત કરી છે. 
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ૨૬મી ડિસેમ્બરથી ચલો દિલ્હી ખેડૂત અધિકાર યાત્રા યોજવાનું એલાન કર્યું છે.ખેડૂત અધિકાર યાત્રા ૨૬મી ડિસેમ્બરે ગાંધીઆશ્રમથી શરૂ થશે, જે રાજઘાટ દિલ્હી પહોંચશે. તેમણે કહ્યું કે, સરકાર અદાણી અને અંબાણી માટે કાયદા બનાવી રહી છે. ખેતીને ખતમ થતાં બચાવવું જરૂરી છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments