Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 દિવસમાં પલટાશે હવામાન

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (19:04 IST)
Unseasonal rain - ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની શક્યતા? કઈ નવી સિસ્ટમ ક્યાં અસર કરશે?
 
અરબી સમુદ્રમાં વર્ષની શરૂઆતમાં જ બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.
 
જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં પણ ફરીથી હવામાન પલટાય તેવી સંભાવના દેખાઈ રહી છે. છ જાન્યુઆરીની આસપાસ ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે પશ્ચિમ-ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
 
બીજી તરફ ભારતના હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં હાલ લૉ પ્રેશર એરિયા બન્યો છે. તેથી સાથે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન પણ બન્યું છે. આ સિસ્ટમ આગળ વધીને ભારતના દરિયાકાંઠા તરફ આવે તેવી શક્યતા છે.
 
બંને સિસ્ટમોને લીધે હાલ કર્ણાટક અને કેરળથી લઈને અરબી સમુદ્રમાં એક ટ્રફ રેખા બની છે, જેના કારણે દક્ષિણનાં રાજ્યોમાં વરસાદની શક્યતા છે.
 
અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમની એવી પણ શક્યતા છે કે તે વધારે મજબૂત બન્યા બાદ આગળ વધે. હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર મહારાષ્ટ્ર સુધી થવાની શક્યતા છે.
 
ગુજરાતમાં ક્યારે પલટાશે હવામાન?
 
નવા વર્ષની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે. આ બંને સિસ્ટમોને કારણે ભારતના અનેક વિસ્તારો અને કેટલાંક રાજ્યોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
 
જાન્યુઆરી 6 કે 7ની આસપાસ સ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર પહોંચશે અને અરબી સમુદ્રની સિસ્ટમ પણ આગળ વધીને કર્ણાટક કે મહારાષ્ટ્ર સુધી પહોંચશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 7 કે 8 જાન્યુઆરીથી હવામાન પલટાય તેવી શક્યતા છે અને 11 તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર દેખાય તેવી સંભાવના છે.
 
એક તરફથી બંગાળની ખાડી પરથી આવતા પૂર્વના પવનો અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા બંને પવનો મળશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
 
હાલ ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં સવારે ગાઢસ ધુમ્મસ જોવા મળી રહી છે. ફરીથી વરસાદી ગતિવિધિ શરૂ થતાં તાપમાનમાં વધારો થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments