Webdunia - Bharat's app for daily news and videos

Install App

પક્ષમાં પદ કે ટિકિટ માટે કોઈ ગોડ ફાધરના ભરોસે ન રહે, મેરીટ જોવાશે: સી. આર. પાટીલ

Webdunia
શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (13:47 IST)
સૌરાષ્ટ્રમાં આજે ત્રીજો દિવસ પ્રવાસના પ્રવાસ દરમિયાન આજે રાજકોટ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકાર પરિષદમાં એવો સાફ સંકેત આપ્યો હતો કે કાર્યકરોએ પદ કે ટિકિટ માટે કોઈ જૂથવાદનો સહારો ન લે મહેનત કરે અને દરેક કાર્યકરને તેમના મેરીટ મુજબ જવાબદારી મળશે. પાટીલ આજે પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા. સોમનાથ અને ખોડલધામ ના દર્શન કર્યા બાદ અમારો આત્મ વિશ્વાસ વધ્યો છે. 8 પેટા ચૂંટણી સાથે, મહાનગર પાલિકા અને આવનારી વિધાનસભા ચૂંટણી અમારો ટાર્ગેટ છે. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટ જીતવાનો અમારો ટાર્ગેટ છે અને રોડ મેપ તૈયાર છે. કાર્યકર્તાની ફરિયાદ, સમસ્યા, અને સૂચન હોય છે.  કોઈ પણ પાર્ટીમાં નાના મોટો જૂથવાદ હોઈ છે, મને પ્રદેશ પ્રમુખ બન્યા એના પણ 30 દિવસ થયા છે. આગામી 30 દિવસમાં માળખું સંગઠનની નિમણુંક કરવામાં આવશે.  1 કરોડ 13 લાખ કાર્યકરો છે અમારી પાસે, કાર્યકર્તા પર વિશ્વાસ અને આધાર રાખીને હું ચૂંટણી જીતુ છું. હું કોઈ સભા કે મિટીંગ કરતો નથી. પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરશે ટિકિટ કોને આપવી. જૂથવાદ ચલાવી નહિ લેવાય.હું કાર્યકર્તા હતો એટલે મારી નિમણૂક થઈ છે. મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પ્રમુખના તીખા તેવર થી અનેક ચર્ચા જાગી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments