Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરુચ પાસે ચાલુ એસ ટી બસમાં આગ લાગતાં વિદ્યાર્થીઓનું આક્રંદ

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2017 (11:42 IST)
ભરુચના ચાવજ ગામ નજીક ટંકારીયાથી ભરૂચ આવતી એસ.ટી. બસમાં અચનાક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ પેસેન્જરો સમયસૂચકતાથી બસની બહાર દોડી આવતા કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે ભરૂચ ફાયર ટીમે બસમાં લાગેલી આગને કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ટંકારીયાથી ભરૂચ આવતી બસમાં વિદ્યાર્થીઓ સવાર હતાં. બસમાં આગ લાગવાથી રોડ પર અડધો કલાક જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો.  આજે સવારે 9 વાગ્યાની આસપાસ લોકલ બસ ટંકારીયાથી ભરૂચ આવી રહી હતી. આ બસમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ સવાર હતા. ચાવજ ગામ નજીક ભરૂચ આવી રહેલી એસ.ટી. બસમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળતાં જોવા મળ્યા હતાં. આગને કારણે બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી હતી. જોકે, સમયસૂચકતાથી બસની બહાર દોડી આવતાં કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે આ અંગે ભરૂચ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે આવીને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments